આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જાલકા : |
(અનુષ્ટુપ) પડદો જે હતો ધર્યો ધીમે ધીમે ઉપાડવો, |
રાઈ : | સૂકાયેલા ઝાડને સજીવન કરવાની વાત બધી ખોટી હતી? |
જાલકા : | ખોટી નહોતી. મહારાજ પર્વતરાયને હું એ પ્રયોગ કરી બતાવવાની હતી. તેમને વૃદ્ધ વયમાં ફરી જુવાન બનાવવાનું મેં માથે લીધું હતું. એની પ્રથમ મારા ઉપચારની સફલતાની ખાતરી કરવા સારુ ઝાડા પરનો એ પ્રયોગ જોવા આજ રાત્રે તેમને અહીં બોલાવ્યા હતા. |
રાઈ : | મહારાજનો કેવો વિચિત્ર અભિલાષ !
(ઉપજાતિ) જુવાનને યૌવન ઇષ્ટ લાગે, |
જાલકા : | તને ખબર નથી રાણી રૂપવતીના સ્વર્ગવાસ પછી મહારાજે ફરી લગ્ન કર્યું છે, અને નવાં રાણી લીલાવતી હજી યુવાવસ્થામાં પ્રવેશ જ કરે છે ? |
રાઈ : | અને એ લગ્નની નવી વિધાત્રી થવામાં તને શું મળવાનું હતું? |
જાલકા : | યૌવન ફરી આવે તો તને રાજ્યનો કોઠો ભાગ આપી દેવા મહારાજે મને વચન આપ્યું હતું, પણ, એમના મનોરથ એમના આ લોહી સાથે વહી જાય છે ત્યાં મારા મનોરથનો ક્યાં શોક કરું? |
શીતલસિંહ : | લાંબી લાંબી વાતો કરવાનો આ પ્રસંગા નથી. જાલકા ! |
અંક પહેલો
૯