આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પુષ્પસેન : | કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે. |
કલ્યાણકામ : | મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.
સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા, |
પુષ્પસેન : | રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.
મૃદુતા લલનાહૃદયે વસતી, [દ્વારપાળ પ્રવેશ કરે છે.] |
દ્વારપાળ : | (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે. |
કલ્યાણકામ : | એકલા છે? |
દ્વારપાલ : | સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે. |
કલ્યાણકામ : | સહુને અંદર આવવા દે.
[દ્વારપાળ જાય છે.] [કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.] |
કોટવાળ : | ભગવન્તને નમસ્કાર કરું છું. |
કલ્યાણકામ : | કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે? |
કોટવાળ : | આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને |
૨૬
રાઈનો પર્વત