પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રધાનજીની મદદ મેળવવા લઇ આવ્યું છે, એમ મને ભાસ થાય છે.
કલ્યાણકામઃ વંજુલ, તારું આ લક્ષણજ્ઞાન રહેવા દે. (રાઇને) એ કાગળ શાનો?
રાઈ વખતે મારા ફેંટામાં હજી હશે. (પડખે પડેલો ફેંટો હાથમાં લઇને તેમાંથી કાગળ કાઢીને) આ રહ્યો.
[કલ્યાણકામને કાગળ આપે છે.]
 
કલ્યાણકામઃ (બીડેલો કાગળ ઉઘાડીને વાંચે છે):
प्रकृतिं यान्ति भूतानी निग्रहः किं करिष्यते ।[૧]
વંજુલમિશ્ર! આ તો આપના અક્ષર દેખાય છે!
વંજુલઃ (ગભરાઇને) મારા શાથી?
કલ્યાણકામઃ આ જોડા અક્ષરમાંના આઠડા જેવા 'ર', આ હેઠળ જતાં ડાબી તરફ લૂલા થઇ વળગતા કાના, આ કાનાને મથાળે કાકપગલા જેવા થતા સાંકડા ખૂણા, અ હાથીની અંબાડીના છત્ર જેવો 'ભ': સહુ તારી હથોટી છે. તારો વાંકો અંગૂઠો ઢાંક્યો નથી રહેતો!
વંજુલઃ મારા જેવા અક્ષર જણાય છે ખરા!
કલ્યાણકામઃ તારા પોતાના અક્ષર નથી?
વંજુલઃ હું ક્યાં ના કહું છું?
કલ્યાણકામઃ એ લખવાનું પ્રયોજન શું?
વંજુલઃ ભગવન્ત! હું બારીએ બેઠો બેઠો ગીતાજીનો પાઠ કરતો હતો, તેવામાં, આ માણસને ઘોડો રોકવાનું લોકોને કહેતો સાંભળી મેં ગીતાજીનું એ વચન લખીને કાગળ એના ઉપર ફેંક્યો.
કલ્યાણકામઃ શા માટે?
વંજુલઃ સ્વભાવ ઉપર જતાં પ્રાણીઓને રોકવાની ગીતાજીમાં ના કહી છે. તે છતાં માણસ દોડતા ઘોડાને રોકવાનું કહેતો હતો, તેથી એ મિથ્યા પ્રયાસ મૂકી દેવા સારુ
૩૬
રાઈનો પર્વત
 
  1. પૃષ્ઠ ૧૮૩ - સંદર્ભ (૨)