પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શાસ્ત્રવચનનું એને ભાન કરાવવા મેં કાગળ નાખ્યો.
કલ્યાણકામઃ મૂર્ખ! એ ગીતાવચન દોડતા ઘોડા માટે છે એમ તને કોણે કહ્યું? સંકટમાં આવેલા મનુષ્યને સહાય થવું જોઇએ એટલું તાત્પર્ય પણ તું ગીતાના અધ્યયનથી સમજ્યો નથી?
વંજુલઃ ભગવન્ત! શાસ્ત્રોના અનેક અર્થ થાય છે. આપ કંઇ અર્થ કરતા હશો, હું કંઇ અર્થ કરું છું. એમ તો કેટલાક કહે છે કે સાયણાચાર્યના ભાષ્ય પ્રમાણે વેદમાં કોઇ ઠેકાણે ઘડેથી ઘી પીવાનું નીકળતું નથી, પણ અમે आयुर्वै धृतम्ની શ્રુતિને આધારે વેદમાંથી એવો અર્થ કાઢી આપી ગોરને ઘડેથી ઘી પાવાનું શાસ્ત્રોક્ત પુણ્ય સમજાવી જજમાનોને કૃતાર્થ કરીએ છીએ.
[નોકર પ્રવેશ કરે છે.]
 
નોકરઃ ભગવન્ત! આમનો ઘોડો આવ્યો છે. તેને એટલું બધું વાગેલું છે કે તેના પર બેસીને જવાય તેમ નથી.
[નમન કરીને જાય છે.]
 
કલ્યાણકામઃ (રાઈને) તમને રથમાં સુવાડીને મોકલીશું.
રાઈઃ ભગવન્ત! મને એવો લૂલો પાંગળો શા માટે બનાવો છો?
(વસંતિલકા)

સંક્ષુબ્ધ હું નથિ થતો જખમોથી કિંચિત્,
બીતો નથી રુધિરના વહને હું લેશ;
જ્યાં સુધિ શક્તિ વસશે મુજ દેહમાંહિ,
ધારીશ હું નહિ કદી અસહાય વ્રુત્તિ. ૨૩

[હાથમાં ઔષધ લઇ સાવિત્રી પ્રવેશ કરે છે.]
 
સાવિત્રીઃ (રાઈની પાસે આવીને) આ ઔષધથી તમને વિશેષ આરામ થશે.
વંજુલઃ આટલા આટલા નોકર છતાં આપ આ ખરલ કરવાનું અને
અંક બીજો
૩૭