પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જાલકા : કલ્યાણકામને કશાની વિસ્મૃતિ થતી જ નથી. થોડા દિવસ પછી કિસલવાડીમાં તારી ખબર કાઢવા કલ્યાણકામે માણાસ મોકલ્યો હતો. પણ, મેં તેને કહ્યું કે 'રાઈ કરીને એક માળી અહીં હતો ખરો, તે ક્યાંય પરદેશ ચાલ્યો ગયો છે અને પાછો આવે એવો સંભવ નથી.' એમ કહી મેં એના માણસને પાછો વાળ્યો. {{ps2|રાઈ :|

એક અસત્યથી જન્મે અસત્યો બહુ જૂજવાં;
રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં' ૨૬

જાલકા : તેં કલ્યાણકામને તારે પોતાને વિષે અસત્ય કહ્યું હોત તો મારે તારે વિશે આ અસ્ત્ય કહેવું ન પડત.
રાઈ : હું શું કામ અસત્ય બોલું ?
જાલકા : જેને રાજ્ય કરવું હોય તેને અસત્ય વિના ચાલે જ નહિ. {{ps2|રાઈ :|

જગત્ આખા તણું રાજ્ય ચલાવે પ્રભુ સત્યથી;
એવું માત્ર હશે કોઈ પુસ્તકોમાં લખ્યું કદી. ૨૭

[મંદિરના કોટનું બારણું કોઈએ ખખડાવ્યાનો અવાજ સંભળાય છે.]

જાલકા : જા, તું રંગમંડપની જોડેની કોટડીમાં બેસ. હું બારણું ઉઘાડું છું. એ માણસ દર્શન કરીને પાછો જાય, પછી તું બહાર આવજે.

[રાઈ કોટડીમાં જાય છે. જાલકા જઈને કોટનું બારણું ઉઘાડે છે. બારણેથી દુર્ગેશ પ્રવેશ કરે છે.]

જાલકા : પધારો. રુદ્રનાથમાં પહેલી જ વાર દર્શન કરવા આવો છો.
દુર્ગેશ : તમે મને ઓળખો છો એ હું જાણતો નહોતો.
૪૪
રાઈનો પર્વત