પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લોગ હમારી પાસસે દામ મંગતે હયે. હમ રુદ્રનાથ કે દરસન કે લિયે આયે તો મંદિરકે દ્વાર રાતદિન બંધ હયે. હમ બૂઢે રાજા કો દેખનેકું આયે તો વો જુવાન હો જાતા હયે. ભાઈ, હમ તો હ્યાં નહિ રહેંગે. કનકપુરમેં અલખ જગાના યે નિકમ્મા હયે.
[બાવો જાય છે]
 
રાઈ : બાવાજીને ચાસણીએ કનકપુરમાં સોનું નીકળ્યું નહિ.
દુર્ગેશ : બાવાના ઉદ્ગાર તો લોકવાણી કહેવાય નહિ. વેરાગીથી સંસારની ખરી તુલના થઈ શકતી નથી.
રાઈ : ગાતા ગાતા આ વિચિત્ર વેશે કોણ આવે છે?

[શરીર ઉપર ઠેરઠેર બાંધેલા દર્પણોવાળા અને હાથમાં લીધેલાં દર્પણોમાં મોં જોતા કેટલાક મનુષ્યો ગાતા ગાતા પ્રવેશ કરે છે.]

મનુષ્યો:

(લાવણી)

મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વ્હાણે;
મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;
મુખ દેખ દર્પણે નિત્ય ચાલતાં વાટે;
મુખ દેખ દર્પણે નિત્ય તોળતં હાટે;
મુખ દેખ દર્પણે નિત્ય બોલતં વાણી;
મુખ દેખ દર્પણે નિત્ય સૂણતાં કહાણી;
નિજ રૂપ દર્પણે દેખિ કાર્ય સહુ કરજે;
લઈ ઝાંખિ આપની પ્હેલી અન્ય ભાણિ વળજે. ૩૬

રાઈ : તમે કોણ છો?
એક માણસ : (દર્પણમાં મોં જોઇને) અમે સહુ દર્પણ સંપ્રદાયના છીએ.
રાઈ : એ વળી નવો સંપ્રદાય ! પરંતુ, જે ભૂમિ પર હજારો સંપ્રદાયોના ડુંગર પડેલા છે તે ભૂમિ એક નવા સંપ્રદાયના ભારથી નમી જવાની નથી.
અંક ત્રીજો
૬૩