આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શીતલસિંહ : | લીલાવતીનો. |
રાઈ : | તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ? |
શીતલસિંહ : | આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો? |
રાઈ : | શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે? |
શીતલસિંહ : | મને તો એવું કાંઈ થતું નથી. |
રાઈ : | (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?
[ઈંદ્રવંશા] કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ, |
શીતલસિંહ : | એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા. |
રાઈ : | શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે ? |
શીતલસિંહ : | આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ? |
રાઈ : | ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું. |
શીતલસિંહ : | આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય |
૭૪
રાઈનો પર્વત