આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભૂલી. મહારાજની પરીક્ષા શાની હોય ? અને તેમને ઉત્કંઠા વિશે શંકા શાની હોય? મારે ખાતર તો મહારાજ છ માસનું કેદખાનું ભોગવી આવે છે. | |
મંજરી : | આપની ખાતર કે પોતાની ખાતર ? |
લીલાવતી : | મંજરી ! આજ તને કંઈ વાયુની અસર છે? |
મંજરી : | હું તો હમેશના જેવી જ છું. આપની રજા હોય તો બોલું. |
લીલાવતી : | બોલ. હું તને બોલવાની ક્યારે ના કહું છું? |
મંજરી : | મહરાજ જુવાન થયા તે આપની ખાતર શા માટે? |
લીલાવતી : | મને પ્રસન્ન કરવા અને મારાં સુખ પરિપૂર્ણ કરવા જુવાન થયા. |
મંજરી : | મહારાજ વૃદ્ધ હતા ત્યારે આપ પ્રસન્ન અને સુખી નહોતાં ? આપ મહારાજને ચાહો છો કે જુવાનીને ચાહો છો ? |
લીલાવતી : | આવા વિનય વગરના પ્રશ્ન પૂછવાનું તું ક્યાંથી શીખી આવી? |
મંજરી : | આપની રજા છે માટે બોલું છું. હું તો માનું છું કે
આપને કાંઈ ઓછાપણું નહોતું, પણ મહારાજને પોતાને ઘડપણમાં ઓછાપણું લાગતું હતું તેથી જુવાન થયા. |
લીલાવતી : | મંજરી ! તું પંડિત થઈ છે ! |
મંજરી : | આ છ મહિના આપે મને આપની પાસે બેસાડી પ્રેમની ઘણી ચોપડીઓ વંચાવી છે, તેથી હું પ્રેમપંડિત થઈ હોઉં તો કોણ જાણે ! બીજી કોઈ પંડિતાઈ તો મને નથી આવડતી. પણ, હું ખોટું કહું છું ? આપે કંઈ મહારાજને જુવાન થઈ આવવાનું કહ્યું હતું? |
લીલાવતી : | મારી અને મહારાજની ખાનગી વાત તને કહેવાનો મારો વિચાર નથી. તારા વરને છ માસમાં એંસી વર્ષનો ઘરડો બનાવી દેવાનું પેલા વૈદ્યરાજને મહારાજ પાસે કહેવડાવીશું, એટલે તારા મનના બધા ખુલાસા થઈ જશે. |
અંક ચોથો
૭૭