પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મંજરી : ઘરડાં થઈ જવાને તો વૈદ્યની ય જરૂર પડતી નથી અને રાજાની આજ્ઞાનીય જરૂર પડતી નથી.
લીલાવતી : ત્યારે દુર્ભાગ્યની જરૂર પડે છે ?
મંજરી : દુર્ભાગ્ય પણ હોય કે સુભાગ્ય પણ હોય.
લીલાવતી : પલંગે તોરણ બાંધ્યું. હેવે ભીંતે આ પૂતાળાં જડેલાં છે, તે દરેકના હાથમાં આ અકેકું દર્પણ મૂક. પૂતળાના બિલોરી કાચ સાથે દરપ્નની સોનેરી તક્તી બહુ દીપશે.
મંજરી : મહેલમાં દર્પણ મૂકવાની મહારાજની મના હતી.
લીલાવતી : હવે મહારાજ દર્પણની મના કરશે?
મંજરી : રજ વિના દર્પણ કેમ મૂક્યા એમ મહારાજ પૂછશે તો ?

દર્પણે દોષને માટે પ્રાયશ્ચિત્ત કરેલું છે;
જામીન છું, હવે દેશે પ્રતિબિમ્બ મનોમન. ૪૫

તે છતાં મહારાજને દર્પણની અણપતીજ રહી હશે તો તેમની સામે મુખ રાખી અને ભુજ સાથે ભુજ ગૂંથી હું મહારજને દર્પણ પાસે લઈ જઈશ.
રાઈ : (હળવેથી) શીતલસિંહ મારાથી દૂર ન જશો.
શીતલસિંહ : (હળવેથી) હું આપની પાસે જ છું. પણ એવું શું ?
રાઈ : (હળવેથી) એવું ઘણું છે.
મંજરી : દર્પણ પાસે લઈ જઈ મહારાજની શી ખાતરી કરશો.
લીલાવતી : તું કલાવીને પૂછી લે છે અને મારાથી બોલાઈ જાશે. બહુ પટામણી છે !
મંજરી : હું પૂછું છું કંઈ ને આપ કહો છો કંઈ. મેં એમ પૂછ્યું કે રજા વિના દર્પણ મૂકયાનું કારણ શું બતાવીશું, ત્યારે તમે મનમાં ધારી મૂકેલા કોડાની વાત બોલ્યા. એમાં મેં શું પટાવ્યું.
લીલાવતી : કોઈ પૂતળું દરપના વિનાનું રહ્યું નથી. હવે, ગોખલામાં
૭૮
રાઈનો પર્વત