આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોતરેલાં આ બધાં કમળની પાંખડીઓમાં લાલા રંગ ચીતરવા લાગ. આછી ને ઘેરી છાયામાં ભૂલ ન કરીશ. | |
મંજરી : | કોઈ કમળ ભૂરાં ચીતરવાં નથી ? |
લીલાવતી : | મહારાજાને લાલ કમળ જ ઘણાં ગમે છે. એમની ઉપમા હંમેશ લાલ કમળની હોય છે. તે દિવસે મેં લાલ ચૂંદડી પહેરી હતી ત્યારે... પણ, પાછી તેં મને વાતમાં નાખી દીધી. |
મંજરી : | મેં તો કંઈ વાટમાઆમ નાંખ્યા નથી. અમથાં ઝબકી ઉઠી મારો વાંક કાઢો છો. |
લીલાવતી : | હું કાંઈ ઊંઘમાં છું કે ઝબકી ઊઠું ? |
મંજરી : | ઊંઘમાં તો નહિ, પણ ઘેનમાં છો ? |
લીલાવતી : | વળી ઘેનમાં શી રીતે ? |
મંજરી : | ઘેનમાં ના હો તો રાતે રંગ પૂરવાનું લઈ બેસો ? |
લીલાવતી : | જોશી કાલે મુહૂર્ત આપવાના છે, એ ખબર આવી કે તરત જ આવાસ શણગારવાનું શરૂ કર્યું છે. હવે વખત બહુ થોડો રહ્યો છે, અને વળી, દરેક કમળની બે બાજુએ બે દીવા આવશે. તેથી આ રંગ તો જેમ વહેલા પૂર્યા હોય તેમ સારું કે સુકાય અને દીપે. પણ, મંજરી ! તને એક વાત કહેવી તો હું ભૂલી જ જાઉં છું. પેલી જાલકા માલણ ઘણે મહિને આજ સવારે આવી હતી. એ પરદેશ ગઈ હતી ત્યાંથી નકશીવાળી સોનાના બે ખૂમચા લાવી છે તે નજરાણામાં આપી ગઈ છે. પેલા બાજઠ પર મૂક્યા છે તે લાવ.
[મંજરી લાવે છે.] |
જો ! બંને પર બહુ સુંદર મીનાકારી કામ છે. તેમાં પહેલાંના રાજાનો રત્નદીપદેવના સમયના ચિત્ર છે. એક ખૂમચામાં એ રાજાનો દરબાર દેખાડ્યો છે અને બીજામાં એ રાજા જે યુદ્ધમાં ઉતરેલા તેનો વૃતાંત ચીતર્યો છે, |
અંક ચોથો
૭૯