પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



લીલાવતી : મહારાજના પ્રેમ વિષે મને સંદેહ છે જ નહિ, પણ મારી ઉત્સુકતા શંકાઓ ઉત્પન્ન કરી મને વિહ્વળ કરે છે.

દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું;
અન્તર થાય શંકાનું તે તો હાય ! અસહ્ય છે! ૪૭

મંજરી : આપા અત્યારે બીજા ખંડમાં જઈ આરામ કરશો તો શયનગૃહ શણગારવાનું કામ સવારે સારું થશે ને વહેલું થશે. ચાલો.
[બંને જાય છે]
 
શીતલસિંહ : આપ કેમ વ્યગ્ર દેખાઓ છો !
રાઈ :

ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિ
તે ઝંખવા ઊંચું ઉડે મુજા ચિત્ત વેગે;
સીમા અભેદ્ય નડતી સઘળી દિશામાં,
પાછું પડી ભમી ભમી ગુંચવાય ચિત્ત. ૪૮

આ મહેલની હવાથી આપણે ગોંધાઈ ગયા છીએ. ચાલો બહારની ખુલ્લ્લી હવાનો આશ્રય લઈએ.
[બંને બારીથી જાય છે]
 


પ્રવેશ ૪ થો
સ્થળ : કનકપૂરનો રાજમાર્ગ.
[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]
 
શીતલસિંહ : આપ બહુ વિચારમાં મગ્ન દેખાઓ છો. આપણે મહેલમાંથી નીકળ્યા પછી આપ એક અક્ષર પણ બોલ્યા નથી.
રાઈ : આ મુશ્કેલીનો શો ઈલાજ કરવો તેના વિચારમાં છું.
અંક ચોથો
૮૧