આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લીલાવતી : | મહારાજના પ્રેમ વિષે મને સંદેહ છે જ નહિ, પણ મારી ઉત્સુકતા શંકાઓ ઉત્પન્ન કરી મને વિહ્વળ કરે છે.
(અનુષ્ટુપ) દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું; |
મંજરી : | આપા અત્યારે બીજા ખંડમાં જઈ આરામ કરશો તો શયનગૃહ શણગારવાનું કામ સવારે સારું થશે ને વહેલું થશે. ચાલો.
[બંને જાય છે] |
શીતલસિંહ : | આપ કેમ વ્યગ્ર દેખાઓ છો ! |
રાઈ : |
ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિ |
આ મહેલની હવાથી આપણે ગોંધાઈ ગયા છીએ. ચાલો બહારની ખુલ્લ્લી હવાનો આશ્રય લઈએ.
[બંને બારીથી જાય છે] |
સ્થળ : કનકપૂરનો રાજમાર્ગ.
[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]
શીતલસિંહ : | આપ બહુ વિચારમાં મગ્ન દેખાઓ છો. આપણે મહેલમાંથી નીકળ્યા પછી આપ એક અક્ષર પણ બોલ્યા નથી. |
રાઈ : | આ મુશ્કેલીનો શો ઈલાજ કરવો તેના વિચારમાં છું. |
અંક ચોથો
૮૧