આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શીતલસિંહ : | કઈ મુશ્કેલી ? |
રાઈ : | રાણી લીલાવતી બાબતની. |
શીતલસિંહ : | રાણી લીલાવતી બાબત મને કાંઈ મુશ્કેલી નથી લાગતી. એ પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આપને મળવા તલસી રહ્યાં છે. |
રાઈ : | મને મળવા ? |
શીતલસિંહ : | પોતાના પતિને મળવા એટલે આપને મળવા. |
રાઈ : | શીતલસિંહ ! આ શી વિપરીત વાત કરો છો? હું એનો પતિ નથી. |
શીતલસિંહ : | આપ પર્વતરાય તરીકે પ્રગટ થશો. |
રાઈ : | ત્યારે જ મુશ્કેલી થશે. હું પર્વતરાય છું, પણ લીલાવતીનો પતિ નથી. એમ શી રીતે પ્રતિપાદન કરવું એ સૂઝતું નથી. |
શીતલસિંહ : | એ પ્રતિપાદન થાય જ કેમ? આપ પર્વતરાય થશો તો બધા સંબંધો અને બધા વ્યવહારોના પર્વતરાય થશો. પર્વતરાય તરીકે આપ રાજ્યના ધણી થશો તેમાં જ લીલાવતીના ધણી થશો અને અમૃતમય સુખના અધિકારી થશો. |
રાઈ : | शान्तं पापम्। એવા શબ્દ મારે કાને ન સંભળાવાશો. |
શીતલસિંહ : | રાણીનું સૌંદર્ય અનુપમ છે. |
રાઈ : | તેથી શું ? |
શીતલસિંહ : | એવી અનુપમ સુંદરીના ધણી થવાનો આપણે વાંધો શો છે ? |
રાઈ : | વાંધો એ છે કે હું તેનો ધણી નથી. |
શીતલસિંહ : | એ આપને પોતાના ધણી તરીકે કબૂલ કરશે, પછી શું ! |
રાઈ : | એ તો માત્ર છેતરાઈને – હું ખરેખરો પર્વતરાયા છું એમ માનીને કબૂલ કરે. મારે શું અનીતિને માર્ગે જવું અને રાણીને અનીતિને માર્ગે દોરવી? |
૮૨
રાઈનો પર્વત