પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



(ઊભો થઈ) હવે મને ભીતિ નથી , શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.
[જાય છે.]
 


પ્રવેશ ૬ ઠ્ઠો
સ્થળ : કિસલવાડી.
[રાઈ અને શીતલસિંહ ફરતા પ્રવેશ કરે છે.]
 
શીતલસિંહ : મહારાજ ! આપણે સ્વસ્થ અને પ્રસન્ન જોઈ મને બહુ હર્ષ થયો. મને ભય હતો કે આપ વ્યગ્ર અને વ્યાકુલ હશો.
રાઈ : વ્યગ્રતા અને વ્યાકુલતા સહુ દૂર થઈ ગયાં છે. મારું ચિત્ત ભયથી મુક્ત થઈ શાન્તિ અને આનન્દ પામ્યું છે.
શીતલસિંહ : આપે વિચાર કર્યો ?
રાઈ : વિચાર કર્યો, એટલું જ નહિ પણ નિર્ણય કર્યો. ઉત્તમોટામાં અને પરમ સંતોષકારક નિર્ણય કર્યો છે. ચિન્તાનું કારણ નથી.
શીતલસિંહ : જાલકા બહુ ખુશી થશે.
રાઈ : જાલકા શું , પણ સહુ કોઈ બહુ ખુશી થશે.
શીતલસિંહ : (આસપાસ જોઈને) આપણે કઇ તરફ જઈએ છીએ. હું તો આપ જાઓ છો તેમ આવું છું.
રાઈ : તે રાત્રે તમે ને પર્વતરાય આ વાડીમાં દક્ષિણ તરફથી પેઠેલા ત્યાં આપણે આવી પહોંચ્યા. તે વેળા પર્વતરાયે પાડેલું છીદ્ર આ રહ્યું. તેમને તેમ રહેવા દીધું છે.
શીતલસિંહ : મહારાજા આવું જોખમ ભર્યું સાહાસ શા માટે કરવું. પર્વતરાએ મારું કહેવું નહિ માનેલું ને આ ઉજજડ જગ્યાએ આવી પ્રાણ ખોયા !
રાઈ : મને પણ કોઈનું તીર વાતે તો તે તીર મારનારને તમે રાજા બનાવજો.
અંક ચોથો
૮૯