આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શીતલસિંહ : | ઘણી ખમા મહારાજ ! એ શું બોલ્યા ! હું તો આપનો વફાદાર ને આજ્ઞાધીન સેવકા છું. પણ અરે ! પણે નદીમાં શો ચમત્કાર દેખાય છે ? વહેતા પાણીમાં દીવા તણાયા જાય છે. એક જાય છે ને બીજો આવે છે ! ત્યાં માણસ તો કોઈ દેખાતું નથી ! |
રાઈ : | દેખાવ અદ્ભુત છે. તમે નદીકિનારે જઈને જોઈ આવો તો એ દીવા મૂળ ક્યાંથી આવે છે. |
શીતલસિંહ : | રાત અંધારી છે, ચંદ્ર હજી ઊગ્યો નથી, ને એ દીવા તે કોણ જાણે શું હોય ? |
રાઈ : | તમે બીઓ છો? |
શીતલસિંહ : | મહારાજ ! બીવાનું કારણ છે. |
રાઈ : | જેની કેડે તરવાર હોય તેને બીવાનું કારણ હોય જ નહિ. |
શીતલસિંહ : | મારી તો હિંમત નથી ચાલતી. મારાથી તો નહિ જવાય. |
રાઈ : | હિંમતથી ના જવાતું હોય તો આજ્ઞાથી જાઓ. તમે હમણાં જ કહ્યું કે ‘હું આપનો આજ્ઞાધીન સેવક છું.’ |
શીતલસિંહ : | આપ હુકમ કરીને મોકલો તો હું જાઉં છું, પણ હું બૂમ પાડું તો આપ આવી પહોંચજો. (છીંડામાંથી નીકળી દીવા તરફ જાય છે) |
રાઈ : |
પાડ્યું પર્વતરાય ગુર્જરનૃપે આ છિદ્ર જે વાડમાં, ગમે તે પરિણામ થાઓ , પણ મારી ગ્રન્થિઓનો ભેદ થયો છે અને મારા સંશયોનો છેદ થયો છે, એટલે હું નિશ્ચિન્ત છું. [૧]પરંતુ, એ નિશ્ચિન્તતાથી પર્યાપ્તિ નથી લાગતી |
૯૦
રાઈનો પર્વત