પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



રાત્રીએ ઝટ અંધકારપટ આ સંકેલી કેવું લીધું !
આકાશે ભરી દિધી શી દશ દિશા આશા રુપેરી રસે !
વરતાવી દિધું કેવું પ્રેંખણ બધે લ્હેરો થકી વાયુએ !
ઊગ્યો ચન્દ્ર અને પ્રવૃત્તિ પ્રસરી, નિશ્ચેષ્ટ સૂતું ન કો ! ૫૬

મારા પ્રબોધની શાંતિને પણ કંઈ એવું ઉત્સર્પણ દોલાયમાન કરે છે. શું ત્યારે નિશ્ચેષ્ટામાં કૃતકૃત્યતા નથી? પણે શીતલસિંહ ઘવાયેલા શિકારને પગલે આવે છે !
[શીતલસિંહ પ્રવેશ કરે છે.]
 
કેમ શીતલસિંહ ! જીતી આવ્યા કે જીતાડી આવ્યા?
શીતલસિંહ : અરે મહારાજ, એ તો કંઈ વસમું છે !
રાઈ : જરા ધીરા પડીને કહો.
શીતલસિંહ : દીવા ઉપલાણેથી આવે છે, તેથી હું નદીકિનારે ચાલતો ચાલતો ઉત્તર તરફ ગયો. દીવા તો આવ્યા જ જાય. જતાં જતાં આ વાડીનો ઉતરાતો દરવાજો પડે છે, એટલે સુધી હું લગભગ પહોંચ્યો. ત્યાં નદીના ઓવારા પર શિવનું દહેરું આવ્યું. દીવા તેમાંથી નીકળતા હતા, તેથી અંદર જઈને જોઉં છું તો જળાધરી કને કોઈ માણસનું માથા વગરનું ધડ પડેલું. શિવલિંગ ઉપર ઊંચે ચોટલાવતી બાંધેલું માથું લટકે, ને તેમાંથી લોહીના ટીપાં શિવલિંગા ઉપર પડે. ત્યાંથી લોહી વહી નીચે પડખામાં મોટા કુંડમાં નળ વાટે ટપકે. કુંડમાં સેંકડો પડિયા તરે અને દરેક પડિયામાં ઘીનો દીવો. જે પડિયા પર નળમાંથી લોહી ટપકે તે પડિયો ટપકાના જોરથી કુંડમાંથી બહાર વહી આવી નદીમાં જાય. એ રીતે એ દીવાની હાર
અંક ચોથો
૯૧