પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


ખાતર એને આપ ક્ષમા કરો.” શિવાજીએ એ ઉપરથી ચંદ્રરાવને ક્ષમા આપીને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો.

હવે આટલા સમયમાં સરયૂની શી દશા થઈ હતી, તે આપણે જોઈએ. રઘુનાથ નિમકહરામ ઠરેલ હોવાથી સરયૂબાળાને બીજા કોઈ યુવક સાથે પરણાવવા જનાર્દન દેવે નિશ્ચય કર્યો, પરંતુ સરયૂએ સ્પષ્ટતાથી કહ્યું કે, “હું રઘુનાથસિંહ વગર બીજા કોઈને પરણવાની નથી.” પરંતુ જનાર્દનદેવે તેની વિનતિ ઉપર ધ્યાન ન આપ્યું અને પરાણે લગ્ન કરી દેવાનો નિશ્ચય કર્યો, ત્યારે સરયૂબાળાએ તેમના ઘરમાંથી નાસી જઈને, એક જમીનદારના ઘરમાં આશ્રય લીધો અને ત્યાં રહી રાતદિવસ રધુનાથનું ધ્યાન ધરવા લાગી. ત્યાર પછી થોડા સમયમાં રઘુનાથસિંહની નિર્દોષતા સિદ્ધ થઈ ગઈ. શિવાજીના રાજ્યમાં એને સારો હોદ્દો પણ મળ્યો, એ સમાચાર સાંભળતાંવારજ સરયૂના હર્ષનો પાર રહ્યો નહિ. જનાર્દનદેવે પણ પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કર્યો અને પુત્રીને પાછી બોલાવીને ઘણા ઠાઠ સાથે રઘુનાથસિંહ સાથે તેનું લગ્ન કરાવી દીધું. રઘુનાથસિંહ અને સરયૂબાળા ઘણાં વર્ષો સુધી પરમ સુખમાં રહ્યા.

४१–दाउदखांनी पत्नी

ગુજરાતનો સૂબો દાઉદખાં ઘણો વીરપુરુષ હતો. પોતાની વીરતા પ્રગટ કરવામાં એ સદા તલ્લીન રહેતો હતો. એક સમયે હિજરી સન ૧૧૩૦ માં એ અમીર ઉલ-ઉમરા હસેનઅલીખાંના સૈન્ય સાથે યુદ્ધ કરતાં માર્યો ગયો. એની સ્ત્રી ઘણી પતિવ્રતા હતી. પતિના મરી ગયા પછી જીવતા રહેવું, એ તેને માટે અસહ્ય થઈ પડ્યું. દાઉદખાંના મૃત્યુ સમયે એ સન્નારી સગર્ભા હતી. પતિનો ઉત્તરાધિકારી બાળક-સાત માસનો ગર્ભ તેના ઉદરમાં હતો; છતાં પણ એ સ્ત્રીએ પોતાના સંકલ્પને પાર ઉતારવા એક યુક્તિ શોધી કાઢી. પતિએ સ્નેહના ચિહન તરીકે આપેલા એક તીક્ષ્ણ છરા વડે પેટ ફાડીને બાળકને સહીસલામત બહાર કાઢીને, સગાંસંબંધીઓને સ્વાધીન કર્યું અને તેણે એ ક્ષણે પતિનું અનુગમન કર્યું.