પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
ચંદનબાળા (વસુમતી)

 શેઠને ચંદનબાળા ઉપર ઘણી પ્રીતિ હતી એટલે એણે કહ્યું કે, “ચંદનબાળા નહિ મળે ત્યાંસુધી હું ભોજન નહિ કરૂં.”

પેલી તરફ ભોંયરામાં પડી પડી વસુમતી પોતાના ભાગ્યનેજ દોષ દેતી હતી: “મારા પૂર્વજન્મનાં કર્મ ખરાબ હશે, નહિ તો આમ એક પછી એક દુઃખ કેમ પડે ! ખેર ! પ્રભુ જે કરે છે તે સારા માટે કરે છે. મને આવું એકાંત સ્થાન મળ્યું છે તો હું નિર્વિઘ્ને ધર્મસાધના કરીશ. મારા દૂષિત આત્માને પ્રભુના ચરણમાં સમર્પી શુદ્ધ બનીશ. એમ કરતાં કરતાં આ દેહનો અંત પણ આવશે તો આવતે જન્મ મારો ઉદ્ધાર થશે.”

આ પ્રમાણે વિચારીને તેણે ‘પંચપરમેષ્ઠી નમસ્કાર’ રૂપે નવકાર મંત્રનો જપ કરવાનો આરંભ કર્યો. એ ભોંયરામાં અને ત્રણ ઉપવાસ થયા. મહામંત્રના જપ તથા ઉપવાસથી એના પૂર્વજન્મના પાપકર્મનો ક્ષય થયો.

હવે પુણ્યનો ઉદય થતાંવાર બધા અનુકુળ સંયોગો ઉપસ્થિત થયા. શ્રીમહાવીર પ્રભુ ગુપ્તવેશે વિચરતા, વદિ પડવાને દિવસે કૌશામ્બી નગરીની બહાર પધાર્યા. ત્યાં એમણે એવો અભિગ્રહ કર્યો કે, “જો કોઈ સ્ત્રી ઉંબરા ઉપર બેઠી હોય, એક પગ ઘરની અંદર અને એક બહાર હાય, રાજપુત્રી હોવા છતાં પણ દાસીપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય અને રુદન કરતી હોય, એવી સ્ત્રી મને આઠમને દિવસે સૂપડાના ખૂણામાંથી અડદના બાકળા વહોરાવે તોજ મારે પારણું કરવું.”

પેલી તરફ ચંદનબાળાને નહિ દીઠાથી શેઠે ત્રણ દિવસ ઉપવાસ કર્યા, એટલે એક દાસીએ દયા આણીને તેને બધો વૃત્તાંત જણાવી દીધો. શેઠે ભોંયરૂં ઉઘડાવ્યું તો દેવી ચંદનબાળા એકાગ્રચિત્તે પ્રભુનું ધ્યાન ધરી રહી હતી. એનાં નેત્રમાંથી પ્રેમાશ્રુની ધારા વહી રહી હતી.

શેઠ તેને બહાર લાવ્યા અને શેઠાણી બારણે તાળાં વાસીને ગયેલાં હોવાથી તેને ઉંબરા ઉપર બેસાડી. દાસીને કાંઈ ભોજન આણવા આજ્ઞા કરી. દાસીની પાસે બીજો કાંઈ ખોરાક નહિ હોવાથી એ રાંધેલા અડદના બાકળા લઈ આવી. શેઠે સૂપડામાં નાખીને તેજ રાજકન્યાની આગળ ધર્યા.

પવિત્ર ચંદનબાળાએ વિચાર્યું કે, “આજ પર્વદિન છે. આટલા