પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
અહલ્યાબાઈ



ત્યારે બધા પોતાને ધન્ય ધન્ય સમજતા. બધાના મનમાં અહલ્યાબાઇના કલ્યાણની તથા તેના દીર્ઘાયુષ્યની ઈચ્છા રહેતી.

ભારતવર્ષમાં એ વખતે સુલેહશાંતિનો જમાનો નહોતો. વારંવાર થતા યુદ્ધવિગ્રહને લીધે, કોઈ પણ રાજ્યની શાંતિ સચવાતી નહિ અને શાંતિના અભાવે લુંટારાનો ઉપદ્રવ, અમલદારોનો ત્રાસ, રાજાઓને પોતાના રાજ્યના રક્ષણ માટે જોઈતી કુ૨સદનો અભાવ, વગેરે કારણોને લીધે પ્રજા પણ ઘણોજ ત્રાસ પામતી. એ વખતમાં બધાં રાજ્યો ઉન્નતિ કરવાને બદલે ઊલટાં અધોગતિને પામતાં જતાં હતાં, પણ અહલ્યાબાઈની રાજનીતિને લીધે, પ્રજા ઉપર માતાના જેવા સ્નેહને લીધે તથા પ્રજાના કલ્યાણને માટે તેમણે કરેલાં અનેક સારાં કામોને લીધે, ચારે તરફ અંધાધૂંધી હોવા છતાં પણ, અહલ્યાબાઈના રાજ્યમાં સુખશાંતિ અને સમૃદ્ધિની રેલમછેલ હતી; એટલા માટે જ આદર્શરાણી અને આદર્શ હિંદુ સ્ત્રી અહલ્યાબાઈ અપૂર્વ મહત્ત્વવાળી દેવીરૂપ ભારતવર્ષમાં પૂજાયાં છે, હજુ પણ પૂજાય છે અને અનંતકાળ સુધી પૂજાશે,

અહલ્યાબાઈ જરા પણ સમય નકામાં ટોળટપ્પામાં ગુમાવતાં નહિ. રોજનું કામ એ રોજ નિયમપૂર્વક કરતાં. ત્રીસ વર્ષ સુધી એમણે પોતે નક્કી કરેલા નિયમ પ્રમાણે, રાજ્ય ચલાવ્યું હતું. સૂર્યોદય થતા પહેલાં ઊઠીને, સ્નાનસંધ્યા કરીને રામાયણ અને મહાભારતની કથા સાંભળતાં. ત્યાર પછી એ પોતાને હાથે ભિક્ષુકોને ભિક્ષા આપતાં. ત્યાર પછી બ્રાહ્મણો, પંડિતો અને અતિથિઓને પોતાની સામે બેસાડીને જમાડતાં અને ત્યાર પછી પોતે ઘણું સાદુ ભેજન કરતાં. ત્યાર પછી થોડોક સમય વિશ્રામ લઇને રાજસભામાં જતાં, સંધ્યાકાળ સુધી ત્યાં બેસીને પ્રજાની અરજીઓ સાંભળતાં, મુકદ્દમાના ફેંસલા કરતાં અને રાજકારભારને લગતાં બીજાં કામકાજ કરતાં. આ વખતે ગરીબ નિરાધાર રૈયત પણ તેમની આગળ આવીને રૂબરૂ પોતાનાં દુઃખ ૨ડતી.

સંધ્યાકાળે સભા બરખાસ્ત થયા પછી, ત્રણ કલાક સુધી અહલ્યાબાઈ પૂજાપાઠ કરતાં. ત્યાર બાદ રાજ્યને લગતા જરૂરનાં કામોનો વિચા૨ કરતાં. આ પ્રમાણે તેમનો દિવસ પૂરો થતો. મોડી રાત્રે એ શયન કરવા જતાં.

ઘણાઓ એમ કહે છે કે, રાજાઓ પૂજાપાઠ અને ધર્મના