પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



११–ज्येष्ठा

સતી ચેટક રાજાની પુત્રી અને જૈનધર્મીઓના ચોવીશમા તીર્થંકર મહાત્મા શ્રીમહાવીર સ્વામીના વડા ભાઈ નંદિવર્ધનની પત્ની થાય.

જ્યેષ્ઠા ઘણી સુંદર સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથીજ તેના માતાપિતાએ તેને ઊંચા પ્રકારનું શિક્ષણ આપીને સદાચારી અને વિવેકી બનાવી હતી. રાજા ચેટકે તેનું લગ્ન એ વખતના રાજકુમારોમાં ઘણા હોશિયાર ગણાતા કુમાર નંદિવર્ધન સાથે કર્યું હતું. નંદિવર્ધન જેવો યોગ્ય પતિ મળવાથી જ્યેષ્ઠાનો સંસાર ઘણો સુખી નીવડ્યો હતો. એ રાતદિવસ સાસુ સસરાની સેવા કરવામાં તથા જૈનધર્મ અનુસાર ધર્માનુષ્ઠાન કરવામાં પોતાનો સમય ગાળતી હતી. પોતાના સદ્‌ગુણ તથા અનન્ય પ્રેમથી તેણે પતિના ઉપર સંપૂર્ણ અધિકાર જમાવ્યો હતો. નંદિવર્ધન તેને પોતાના કુંટુબની લક્ષ્મી તરીકે ગણતા હતા.

સતી જયેષ્ઠાના અપ્રતિમ સૌંદર્ય અને તેના અનન્ય પતિપ્રેમની પ્રશંસા દુનિયામાંજ નહિ પણ સ્વર્ગલોકમાંય થતી હતી. એક વખતે દેવતાઓની સભામાં ઇંદ્રદેવે સતી જ્યેષ્ઠાના સતીત્વની ઘણીજ પ્રશંસા કરીને જણાવ્યું કે, “એ એવી દૃઢ પતિવ્રતા છે કે દેવતાઓની ચળાવી ચળે એમ નથી.”

ઇંદ્રનાં એવાં વચન સાંભળીને એક દેવતાના મનમાં મમત ભરાયો કે, હું એ સતીનું શિયળ ભંગ કરૂં તોજ ખરો. એવા દુષ્ટ સંકલ્પથી એ મર્ત્યલોકમાં આવ્યો અને એકાએક જ્યેષ્ઠા સતીનું હરણ કરી ગયો. તેને એક ઘોર ભયાનક અરણ્યમાં લઈ જઈને ઊભી કરી તથા પોતાની દૈવી શક્તિથી અસંખ્ય હાથી, ઘોડા, ૨ત્ન, પાયદલ વગેરે હાજર કર્યા અને કહ્યું: “હે સુંદરિ ! હું આ સેનાનો રાજા છું. તું અહીં એકલી છું. હવે અહીંયાં