પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.




નિવેદન

આ અગાઉ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ અને ‘ભારતની દેવીઓ’ના નામે પુસ્તકની ત્રણ ગ્રંથોમાં ત્રણ આવૃત્તિઓ બહાર પડેલી છે. તે પૈકીના ત્રીજા ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. એમ આ ત્રીજા ગ્રંથનું આ પહેલું પુસ્તક ‘રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો’ એ નામથી છૂંટું પ્રસિદ્ધ થાય છે.

‘ભારતની દેવીઓ’ પુસ્તક ઘણું ઉપયોગી છે. એ દળદાર ગ્રંથને ખરીદી શકે એવાં કુટુંબોની સ્ત્રીઓ આવા ગ્રંથના વાચનથી વંચિત ન રહે એ લક્ષમાં લઈને આ રીતે છૂટા વિભાગો કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં જૈનયુગ અને મરાઠાયુગની ૬૨ સતીસાધ્વી સન્નારીઓનાં ચરિત્રો આવે છે.

મુંબઈ,
તા. ૨૩–૭–’૪૯

સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી
મનુ સૂબેદાર (પ્રમુખ)

}