પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

નિન્દા કીધી અને ભીષ્મના નિર્ણય માટે તિરસ્કાર દર્શાવ્યો.

શિશુપાલ વધ

આના ઉત્તરમાં ભીષ્મ બોલ્યો, 'જે ક્ષત્રિય બીજાને જીતી તેને છોડી દે છે તે તેનો ગુરુ છે, જ્ઞાનની અતિશયતાથી બ્રાહ્મણ સર્વમાં પૂજ્ય ગણાય છે, ધનવૃદ્ધત્વથી વૈશ્ય પૂજ્ય ગણાય છે અને વયોવૃદ્ધત્વથી શૂદ્ર પૂજ્ય બને છે. કૃષ્ણ સર્વમાં વયોવૃદ્ધ નથી, પણ એ જ્ઞાનવૃદ્ધ, બલવૃદ્ધ અને ધનવૃદ્ધ છે; તેથી એ જ અગ્રપૂજાને યોગ્ય છે.' શિશુપાલનો રોષ આથી વધારે ઉગ્ર થયો અને કૃષ્ણને મારવા એ શસ્ત્ર ઉગામતો હતો, એટલામાં કૃષ્ણનું ચક્ર એની ગરદન પર ફરી વળ્યું.




૧૨૬