પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુન્દરકાણ્ડ

.



સુગ્રીવનાં અને ફળઝાડોનો નાશ કર્યો; પણ જે ભારે કામગિરી હનુમાને બજાવી હતી તેના પ્રમાણમાં આ નુકસાન કશું જ નથી, એમ કહી સુગ્રીવે ઉલટું ઉત્તેજન આપ્યું. રામ પણ હનુમાનને ભેટી પડ્યા. એમણે કહ્યું : "તારા કામનો હું કેવી રીતે બદલો વાળું ? મારા હૃદયપ્રદેશ સિવાય બીજી કોઈ પણ વસ્તુ તારા કામ માટે પૂર્ણ બક્ષિસ નથી; તેથી આ મારૂં હૃદય તને આજથી અર્પણ કરૂં છું."