કુમારિકાઓના હૃદયમાં આવા રસ આજથી પુરાય તો પોતાના
ભાવિની વિકરાલતા એને ઘણી ઓછી થઈ જાય. આ રાસની
સાચી અસર તો હિન્દુ સંસારની સાસુઓ, જેઠાણીઓ, નણંદો,
ને પુરુષો ઉપર થશે. પારકીજણી ધરમાં આવે ત્યારે એને યે
એક નાનું, પારેવાના માળા જેવું હૃદય હોય છે, ને એ હદયમાં
લાગણી હોય છે, એટલું કરૂણ ભાન આ રાસ, સાસરિયાંને કરાવે
તેવો છે.
એક વાર આણે આવીને પાછી સાસરીનાં સુખદુઃખમાં સંતાઈ જનારી દીકરી બહુ મૂંઝાય ત્યારે શું કરે ? બેડું લઈને પનઘટ પર પહેાંચે. આડોશી પાડોશીને આંગણે ચડવાની તો એને મનાઈ થઈ હોય. ગામમાંથી કોઈ બહેનપણી બેસવા આવે તો ચાડીખોર નણંદની ચોકી ધડી યે આઘી ન ખસે. પણ પાણી કાંઈ ભરવા જવાની કોઈ ના પાડે ! આઠે પહેર ઘુમટામાં ગુંગળાતી એ બંદિનીનું ઓઢણું નદીકાંઠે તો ઊડીને અંબોડા પર જઈ પડે, એટલું ઉધાડું માથું કયાં કયાં રખાય ? એક પિયરમાં ને બીજું પાણીશેરડે. પાછું જાણે વળવું જ નથી એવી શાંતિથી બાપડી ચોમેર કુદરતનો ખેલ નિરખી રહે, અને આઘે આઘે મીટ માંડતાં એને શું દેખાય ?
“ઓ વાદળથી ટકરાય, મહિયર મારાં રે,
પનધટ પર મળનારી મુક્તિ બીજે કયાંયે નથી. વાંચનાર ! આર્યનારીના આપધાત તેં કદી જોયા છે ! અફીણ ઘોળી પીવાના આઠ આના એ કયાંથી કાઢે ? અફીણ લાવી યે કોણ આપે અને ગળે ટૂંપો ખાવા જેટલી એકાંત કયાં ? આજ સુધી કેટલી દુઃખી આરીએાએ નદી અને કૂવાના ખોળા ગોત્યા હશે ! આજ ઘરની ફળીમાં નળની ચકલી ઉધાડીને બાલદી ભરી લેનાર નગર-નારી ! પનઘટનાં ખેાળાનાં મીઠાં મોત તારા ભાગ્યમાં નથી. પનધટનું સ્થાન તો આપણા સંસારના ઈતિહાસમાં અપૂર્વ છે, અતિ મર્મવેધક છે, નદીનાં