નીર અહોરાત હિન્દુ-નારીના વીતકોની જ કથનીઓ ગાતાં ગાતાં વહ્યે જાય છે. વાવ કૂવાના પર પણ એ જ અક્ષરો લખાયા છે.
પરંતુ કવિએ “પનધટ"ને એ કરુણ રસ પૂરેપૂરો નથી ગાયો, માત્ર
“અણતોળ્યા ભવના ભાર મનથી મટશે રે,
અણબૂઝ્યા તનના તાપ ઘેરા ઘટશે રે,
જ્યાં ઉરનાં આપોઆપ કૂલડાં ફૂલે રે,
એવો સ્વર જ આપી દીધો છે, બાકી પનધટ પરનો લૂખો આનંદ જ ગાયો છે. જેટલી ખૂબીથી કવિને 'પનધટ' સૂઝી ગયો, તેટલી ખૂબી એ રાસના કલાવિધાનમાં નથી.
'સીમંતનો રાસ રચાય તો હોંશ તો મારી પોતાની જ હતી. 'કુંવરબાઈનું મામેરું' બહુ કરુણ છે, કારણ કે એમાં સત્ય જગતનું realistic ચિત્ર ખડું થાય છે. પરંતુ આ રાસ તે “રાસતરંગિણી”ના સાંગોપાંગ સૌમ્ય રસને જ જાળવી રહ્યો છે; છતાં “રાસતરંગિણી”ના હુલ્લાસના અંતરમાં તે કરુણતા જ દ્વવે છે, 'સીમન્ત'નું સુખમય ગીત ઊંડે ઊંડેથી ઉદાસીન સ્વરો કાઢી ૨હ્યું છે. સીમન્તના પ્રસંગમાં જ એ છલોછલ આનંદની વચ્ચે પણ રડી રહી છે. એ મંગળમાં અમંગળના ઉચાટ છે.
”ધીરે-ધીરે ધારો રે ચરણ સુલેાચના રે લોલ:
આ પક્તિમાં એ જ ઉચાટનો આઘે આઘેથી આવતો ધ્વનિ સંભળાય છે.
સીમન્તિનીનું કેવું સાચું ચિત્ર માત્ર ચાર જ પંક્તિમાં કવિ આલેખે છે !
“મનડે મધુરાં રે સોહે સુખસોણલાં રે લોલ,
ઝીણી ઝીણી આળસ ઉપજે અંગ;
ઘેનમાં ઘેરાતી રે આંખડી ઉઘાડજો રે લોલ,