પૃષ્ઠ:Rasbindu.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : રસબિન્દુ
 

‘શેકસપિયર સરખા વહી ગયેલા નટને તે નાટક લખતાં આવડે? એ બેકને લખ્યાં છે.’

‘બેકન? પેલો લાંચિયો ઉમરાવ ? એના હૃદયમાં સામાન્ય માનવી શેક્સપિચર સરખી ઊર્મિ ઊછળે જ નહિ.’

‘શેક્સપિયર ઢોર ચારતો હતો એ જાણો છો ને?’

‘જો હવે બોલ્યા તો મુક્કાબાજી થશે...’

અને એ મારામારી પડતી મૂકી સનાતને બીજી બાજુએે દૃષ્ટિ કરી.

‘વૉલ્ટૅરના શબને તો ગટર મળી – શાનો અહીં બેસાડ્યો છે?' એક બૂમ સંભળાઈ.

સનાતને મુખ ફેરવ્યું.

‘હોમરનાં માબાપ કોણ તે તો કોઈ જાણતું જ નથી!’ એક અવાજ આવ્યો. ત્યાંથી પણ એણે મુખ ફેરવી લીધું.

સૌમ્ય હિંદમાં આવું ન હોય ! હિંદી લેખકો તરફ સનાતને નજર કરી.

‘પણ આ વ્યાસ કે કાલિદાસનાં માબાપ કોણ?’ એક પ્રશ્ન થયો.

‘મેઘદૂત રચનાર અને શાકુન્તલ રચનાર બંને એક ન હોય.’ બીજું વિધાન સંભળાયું;

‘અને પેલા પ્રેમાનંદે નાટકો લખ્યાં એવી ગપ લોકો મારે છે !’

‘ગાગરિયો ભટ !’

સનાતનને મન થયું કે એ પોતાને કાને હાથ દઈ દે. નવા સંસ્કાર આવી ગલીય મનોવૃત્તિ અને ભાષાને પોષે નહિ જ !

‘એમ ? જોવું છે ?’ સનાતનના વિચારને આહ્વાન અપાયું; અને કોણ જાણે કેમ પણ મુંબઈના રાજાબાઈ ટાવરમાં છ ટકોરા વાગ્યા ! સનાતન ત્યાં ક્યાં આવી પહોંચ્યો ? વર્તમાન સંસ્કારનું આહ્વાન એને સાંભળવાનું હતું ને ? જે સ્થળેથી અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ સંસ્કારપદવી પામી રહ્યા હતા ત્યાંથી એક સુક્કો અવાજ સંભળાયો :

‘નર્મદ ! એ દારૂડિયા વ્યભિચારીને તમે વર્તમાન યુગની