પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરતી ગુર્જરસુંદરી આ ગરબાના પુસ્તકને કંઠલંકારરૂપે ધારણ કરે, તે તેના રસિક ભાવને અનુરૂપ જ ગણાશે.

મારી નવરાત્રિના છેલ્લા દિનનો આ લગભગ છેલ્લો ગરબો ગવાય છે ને ઝિલાય છે, તે ટાણે મારી ગુર્જર બહેનોના જીવનને તેમજ તેમના સંસારવહનને તે એક અખંડ આનંદરૂપ 'ગરબા' જેવુંજ બને ને રહે એવા આશીર્વાદ આપું છું. ગુર્જરીનું સૌભાગ્ય સદા અખંડ અને ઝળહળતું રહો ! અસ્તુ !


અરદેશર ફરામજી ખબરદાર

૭૮૮, પારસી કોલોની,
દાદર, મુંબઇ
ચૈત્ર સુદ ૫, સંવત ૧૯૯૭
તા. ૨–૪–૧૯૪૧