પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિસર્જન
૨૬૫
 


આઘા તે ગિરિવર ગઢ દિસે,
ને આઘા આઘા દિશાના દોર રે :
ઊડવા આઘાં આઘાં રે ;
ફૂટે જ્યાં પાંખ જરી આત્મને,
ત્યાં તો તૂટે કૈં કાળજાની કોર રે !
ઊડવા આઘાં આઘાં રે.

આઘા ફિરસ્તા ને દેવતા,
ને આઘા આઘા પ્રભુજીના મહોલ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
પડ્યો જે પ્રાણ દેહપિંજરે,
તેનો આઘે સુણે કોણ બોલ રે ?
ઊડવા આઘાં આઘાં રે.

આઘા આવાસ આશાતણા,
ને આઘાં આઘાં છે પ્રાણનાં પ્રયાણ રે :
આઘેરો આત્મ ઉડાવતાં,
વહાલાં ! લાધશે સ્નેહ કલ્યાણ રે !
ઊડવા આઘાં આઘાં રે.