પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 



નિશાણી ર

પ્રમ ડાડો જેરે હેક પખ, પખ બે પાનંગરા,
ગઢા પરઠે નવનગર ચોરાશી શકારા,
વાહણ નિગમ ભડ વગંબે પંખ બે વડવારા,
ચારણ તારણ ખતરિયાં વેદગ વચારા,
ભલા સે ચારણ ભણાં દાતા સવચારા,
તંબર નાગ સવસંતે નરા અધકારા.

જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને જેને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે નગરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે, એવા ક્ષત્રિયને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.

નિશાણી ૩

નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ,
સાત દીપ વશ શુધ કળાં ત્રાગે કળ તારણ,
માચે ભારત, ન્રભે મન વડે વેર વડારણ,
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.

એ નવે નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છેઃ પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતે દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.

નિશાણી ૪

સરુ સર જેમ માણસર, દણિયર દેવાળાં,
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,
જેમ નરમળ ગંગાજળ કોયણ ગરે અઠકળાં,
સાત સમંદ્રાં ખીરસર તવીએ ધ્રુવ તારાં,
રામ રઢાળા રગવંશાં ગોરખ મેંઢાળા,
એમ વરદાય વીહળ વડો ચારણ સકારાં.