પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘અણનમ માથાં’નું કથાગીત
૧૭૧
 


સરોવરમાં જેમ માનસરોવર, દેવોમાં જેમ સૂર્યદેવ, નવકુળ નાગમાં જેમ શેષનાગ, પશુપતિઓમાં જેમ ઇંદ્ર, નદીઓમાં ગંગા, આઠ કુળ ગિરિઓમાં જેમ મેરુ (કોયણ), સાત સમુદ્રોમાં જેમ ખીરસાગર, તારાઓમાં જેમ ધ્રુવ, રઘુવંશમાં જેમ રામચંદ્ર, યોગીઓમાં જેમ ગોરખનાથ એમ ચારણોમાં શ્રેષ્ઠ તો ઈશ્વરી વરદાન પામેલો વીસળ ગણાય.

નિશાણી ૫

વડ ચારણ ચવીએ વડો વરદાય વીહળ,
લખણ બત્રીસે લીળઘણ ચિત્ત ધ્રુવ અણચળ,
નરમળ નરહો નવનગ૨, જેડો ગંગાજળ,
ચોરાશી વ્રણ ચકવે વજિયો ડાડાવળ,
આફળ્યો સોઢે આંગમે દો માઝે મેળે દળ,
આગળ રવિયો ધારઇં દિવાણે અણકળ.

એવો ચારણોમાં શ્રેષ્ઠ, વરદાયી વીસળ, બત્રીસલક્ષણો, ઘણો શોભીતો, અચલાયમાન ચિત્તવાળો, નવે નગરના ચારણોમાં નિર્મળ એ નરસો, જેવું નિર્મળ ગંગાજળ, ચોરાસીયે વર્ણમાં જે ‘ડાડાવળો’ કહેવાયો, જે અગાઉ સોઢાઓની સાથે લડેલો.

નિશાણી ૬

શાત્રવ શેન શનાયા, શબળા શરતાણા,
રા’ પંચાળા ઉપરે ચડિયા દિવાણા,
શેષ સળક્કે ભારસું, કોરંભ કચકાણા,
ધર અંબર રવ્ય ધ્રોંખળો ઠાર ચડે અઠ્ઠાણા,
થાનકે વીહળ વાત થે નરહે નરહાણા,
દેવારિયા ડાડાવળે, નરભે નિશાણા.

શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં. વીસળના થાનકમાં વાત થઈ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધનાં નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.

નિશાણી ૭

પાંડવ વેશ પ્રગટિયા હેંથાટે હેંદળ,
અભંગ અશપત ઉપરે બળિયારે સાબળ,