આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૬૧
વેલ્ય આવતાં જ દરબારે હુકમ કર્યો? :
“છોકરાને અહીં જ ઉતારી લેજો”
પોતાના દીકરાને વેલ્યમાંથી ઉતારીને બાઈએ કહ્યું : “દરબાર, ખુશીથી તમારાં વેર વસૂલ કરી લેજો.”
“એ હો, દીકરા !”
એટલું કહીને દરબારે છોકરાને પોતાના ખોળામાં બેસાડી લીધો. વરજાંગનાં હથિયાર મંગાવી એના અંગ ઉપર બંધાવ્યાં, અને માથે હાથ મેલીને ઊભરાતે હૈયે આશીર્વાદ દીધા કે, “બહાદર, મારા ભાણેજ ! તારા બાપના જેવો જ સાવજ બનજે, અને એના જેવું જ મરી જાણજે.”
આખોયે ગરાસ વરજાંગના પુત્રને સોંપી, બાર દિવસ રોકાઈ, પોતાના વેરીનું કારજ ઉકેલી દેવા વાળા જેતપુર સિધાવ્યા ને તે દિવસથી કસૂંબા લેતી વેળા વરજાંગને રંગ દેવાનું એણે નીમ લીધું.
[માંડણકુંડલાના ઝાંપામાં વરજાંગની ખાંભી ઊભી છે.]