તેમજ શુદ્ધ સોરઠી સંસ્કાર પ્રતિની વફાદારી ધ્યાનમાં રાખીને થવાની જરૂર છે. પરંતુ આ વાતની શક્યતા વિચારવાનો અધિકાર મારો ન હોવાથી કેવળ અંગુલીનિર્દેશ જ કરું છું.
અંગ્રેજી અનુવાદોનું કાર્ય વધુ મહદ્ છતાં ઓછું કઠિન છે. યુરોપની અંદર લોકસહિત્યની ખૂબીઓ પ્રીછવાની જે દૃષ્ટિ ખીલી નીકળી છે, તેની સન્મુખ અપણું આ સાહિત્ય મારી પેઠે આદર પામશે. એ નક્કી છે. બંગાળી વગેરે અન્ય પ્રાંતોમાં આ પ્રયાસ યુનિવર્સિટી જેવી સંસ્થા તરફથી થઈ રહ્યો છે.
આ જહેમત ઉઠાવવા માટે અસાધારણ શક્તિની નહિ. પણ ફક્ત અખંડિત પરિશ્રમની જ જરૂર છે. મારા મિત્ર-મંડળના મનોરથના ક્ષિતિજ ઉપર આ ઉમેદ થઈ રહ્યો છે. બીજા ભાઈઓ પણ ઈચ્છે તો મેદાન ઘણું વિશાલ છે. ભીડાભીડ થવાનો ભય નથી.
1933
[ત્રીજી આવૃત્તિ]
આ વાર્તાઓનું બન્યું તેટલું સંસ્કરણ કર્યું છે.
દુહાવાળી જે પાંચ-છ કથાઓ આમાં મૂકી છે, તેના જેવી અન્ય કથાઓનો સંગ્રહ ‘સોરઠી ગીતકથાઓ’ નામે પ્રસિદ્ધ છે. તેમાં એકંદરે આવા સાડા ચારસો દુહા છે.
‘રસધાર'ના પાંચ ભાગોએ એક ચોક્કસ પ્રકારનું બળવાન સોરઠી સાહિત્ય સજીવન કરવાની જે પ્રતિષ્ઠા બાંધી છે તે આટલાં વર્ષે પણ અણઝંખવાયેલી રહી છે એ મારું સદ્ભાગ્ય છે.
[પાંચમી આવૃત્તિ]
આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણ વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી
[6]