પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખાવટ
73
 

પણ દેખાણી.

માણસ કુંકાવાવ ગયો. તળાટીને કહે છે કે બાપુ તેડાવે છે.”

“કાં ?”

“ઓલ્યો દસ્તાવેજવાળો સુગલો કરવા.”

તળાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે ? ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો.

દાયરામાં જઈને બેય જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ.

બાપુએ પૂછ્યું કે “કાં તળાટી, શી હકીકત બની ગઈ ?”

“બીજું શું, બાપુ ! પટેલને આપણા ગામની ચાર વાડિયું ઇનામમાં મળી.”

“કોના તરફથી ?”

“ગોંડળના પાટવીકુમાર તરફથી.”

“તે હવે શું ?”

“હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય, બીજું વળી શું ? ક્યાં લીલાંછમ માથાં વાઢીને કુંકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો'તો ? માટે, પટલ ! ડોઈને પી જાઓ, સમજ્યા ને ?”

“જોઉં કાગળિયો !” એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા મંડી, કહ્યું : “ઠીક, લાવો. એક ત્રાંબાનું પતરું.”

પતરું હાજર થયું.

“આ દસ્તાવેજનું વેણેવેણ એ પતરામાં કોતરી કાઢો, અને નીચે. ઉમેરો કે કુંવર પથુભાએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવો છે. ન પાળે એને માથે ચાર હત્યાઉં.”

તળાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા :