રા' નવઘણ
આહીર ડાયરાએ છોકરાને એાળખ્યો. દેવાયતના
મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં
હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને
ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે
દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ
ન દેખાઈ.
ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંકયા કે : "તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડયો છે."
"ત્યારે આ હત્યા કોની થઈ ?"
"એના પોતાના છોકરાની."
"જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો."
"દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે."
"ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું ?"
"બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મર્યો હશે, તે એ માતાની અાંખોમાં પાણી આવશે. પુત્રની અાંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે."
આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું : " જો આ તારો બાળક ન હોય તો એની અાંખેા પર પગ મૂક."
દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.
પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી