૫૬
લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા
પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ
ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત ! કાંઈ વંકો
રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”
ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.
એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”
ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.
“ માડી ! સાંભળ્યું કે ?”
“શું છે, છોડી ?”
“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”
“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”
“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે'ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”
ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ