પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૯

વેર

ભાગવા માંડ.”

પીઠાશ ગયો. ચારણી એ ભેંકાર એારડામાં, દીવાને ઝાંખે અજવાળે, ધણીનું લોહી-તરબોળ ધડ-માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું, રોવા લાગી. ચારણીનું રોણું તો ઝાડવાંનેય રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી. કુતરાં વિલાપ કરવા મંડ્યાં. રડવું સાંભળતાં તો પડખેના ઓરડામાં સૂતેલા બેય દીકરા હમીર અને નાગાજણ – દોડ્યા આવ્યા. બે પહોરનું થીજી ગયેલું લોહી જેઈને નાગાજણ બોલ્યો : “ લે, માડી, હવે સમજાઈ ગયું : હવે ઢોંગ રે'વા દે ! હમીર, આ જામેલું લેાહી જો. આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ. અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે ! પીઠાશને ભાગવાનો વખત એની ફુઈ વિના બીજુ કોણ આપે ? રંગ છે મા !”

માએ જવાબ દીધો : “દીકરા, એક દી એનો ય બાપ આમ મૂવો'તો, હો ! ત્રણ વરસનો એનો બાળકો તે દી ઉજ્જડ વગડે બાપના મડદા ઉપર પડ્યો પડ્યો, ગાય વન્યાના વાછરુની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા, મારા પેટ? બાપ તો સહુના સરખા. અને હવે બળ હોય તો ચિતોડ ક્યાં આઘુ છે, મારા બાપ?”

રાવળનો વેશ કાઢીને હમીર-નાગાજણ ચિતોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજુ રવાજ. પીઠાશના કુળના જ વહીવંચા બનીને આવ્યા છે. પીઠાશની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી બે ભરચક થાળીએા આવે છે. 'ભલ્યે પ્રથીનાથ ! ભલ્યે અન્નદાતા!' કરતા કરતા દુશ્મનો મિષ્ટાન્નો જમે છે.