પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

વેર

ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું.”

હમીરે નાગાજણની સામે નજર નેાંધી. નાગાજણ કહે : “હવે રામરામ ! અમે તને ઓળખીએ છીએ.”

હમીર બોલ્યો : “ના, ના, નાગાજણ, તું પીઠાશને નથી એાળખતો; જાવા દે.”

“અરે ! હવે જાવા દઈએ ? અને ગયો પીઠાશ પાછો આવે ?”

“હા, હા, પાછો આવે. જાવા દે.”

“ભાઈ, ચીંથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો. ત્યાં એકાંત છે. આંહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું.” એમ બોલીને પીઠાશ ઝપાટાભેર ઘેર ગયો, ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો : “લે આ ચૂડી – સવાર સુધી જ તારે પહેરવી પડશે.”

"કેમ ?"

“ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવળ નથી – હમીર અને નાગાજણ છે. તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું. લ્યો, રામરામ ! ઓલ્યા અવતારે મળશું !”

પીઠાશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઊતરી ઘોડારમાંથી બે પાણીપંથા ઘેાડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી. ચીંથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આઘેથી પીઠાશ દેખાયો. હમીરે કહ્યું : “નાગાજણ, પીઠાશ આવ્યો. મરદનાં વચન !”

નાગાજણે હસીને કહ્યું : “પણ જરા આઘેરો તો જો ! પીઠાશ મૂરખો નથી તે એકલો આવે. બીજો આદમી અને બે ઘોડાં ! તારા ને મારા કટકા.”

પીઠાશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે