૧૦૦
લાઠી પાસે દરબાર રાણિંગ વાળાનું અકાળા નામે ગામ હતું. એક દિવસ અકાળાનો પટેલ સનાળીમાં ધા નાખતો નાખતો નીકળ્યો. રાઠોડ ધાધલ સત્તાવીસ અસવાર લઈને ગામતરે જાતા હતા. પાદરમાં જ પટેલ મળ્યો; પૂછ્યું : ”ભણેં. કિસેં જાતો સો ?”
"જેતપુર, બાપુ રાણિંગ વાળા પાસે.”
"કાણા સારુ ? ”
“મતીરાળાનો માલ અમારી સીમનો બાજરો ભેળી ગયો. તે ફરિયાદ કરવા સારુ.”
“એમાં રાણિંગ વાળાનો માથો ખાવા કાણું ધેાડ્યો ? હાલ્ય, હું આવતો સાં.”
પટેલ બોલ્યા : “ના બાપુ, હું તો ધણી પાસે જ જઈશ. તમે શું કરવાના હતા ?”
“એલા અસવારો, આ ગોલાને બાંધુને લઈ હાલો.”
પટેલને મોઢા આગળ ઉપાડ્યો. સનાળી ગામમાં ખોડાભાઈ નીલા નામે એક ડાહ્યો ચારણ રહેતો હતો. રાઠોડ ધાધલનેા એ ભાઈબંધ હતો. એને પણ સાથે લીધો. મતીરાળાની સીમમાં આવ્યા. પટેલને રાઠોડ ધાધલે કહ્યું : “ભણેં: પટલ, જા, અકાળાનાં ને લુવારિયાનાં-બેય ગામનાં ઢોર લઈ આવ્ય.”
આપા રાઠોડે બેય ગામનાં ઢોરને મતીરાળાની આખી સીમનો ઊભો બાજરો ચરાવી દીધો. પછી પટેલને પૂછ્યું :
“કી ભણેં પટલ, હવે તો તાળો કાળજો ઠરુને હિમ થ્યો ન ?”
“ હા આપા, હવે અમારે વટક વળી ગયું.”
હજુ તો અસવારો ઊભા છે. ત્યાં મતીરાળાના દરબાર