પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૧૦૦


લાઠી પાસે દરબાર રાણિંગ વાળાનું અકાળા નામે ગામ હતું. એક દિવસ અકાળાનો પટેલ સનાળીમાં ધા નાખતો નાખતો નીકળ્યો. રાઠોડ ધાધલ સત્તાવીસ અસવાર લઈને ગામતરે જાતા હતા. પાદરમાં જ પટેલ મળ્યો; પૂછ્યું : ”ભણેં. કિસેં જાતો સો ?”

"જેતપુર, બાપુ રાણિંગ વાળા પાસે.”

"કાણા સારુ ? ”

“મતીરાળાનો માલ અમારી સીમનો બાજરો ભેળી ગયો. તે ફરિયાદ કરવા સારુ.”

“એમાં રાણિંગ વાળાનો માથો ખાવા કાણું ધેાડ્યો ? હાલ્ય, હું આવતો સાં.”

પટેલ બોલ્યા : “ના બાપુ, હું તો ધણી પાસે જ જઈશ. તમે શું કરવાના હતા ?”

“એલા અસવારો, આ ગોલાને બાંધુને લઈ હાલો.”

પટેલને મોઢા આગળ ઉપાડ્યો. સનાળી ગામમાં ખોડાભાઈ નીલા નામે એક ડાહ્યો ચારણ રહેતો હતો. રાઠોડ ધાધલનેા એ ભાઈબંધ હતો. એને પણ સાથે લીધો. મતીરાળાની સીમમાં આવ્યા. પટેલને રાઠોડ ધાધલે કહ્યું : “ભણેં: પટલ, જા, અકાળાનાં ને લુવારિયાનાં-બેય ગામનાં ઢોર લઈ આવ્ય.”

આપા રાઠોડે બેય ગામનાં ઢોરને મતીરાળાની આખી સીમનો ઊભો બાજરો ચરાવી દીધો. પછી પટેલને પૂછ્યું :

“કી ભણેં પટલ, હવે તો તાળો કાળજો ઠરુને હિમ થ્યો ન ?”

“ હા આપા, હવે અમારે વટક વળી ગયું.”

હજુ તો અસવારો ઊભા છે. ત્યાં મતીરાળાના દરબાર