પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭

રાઠોડ ધાધલ

એંશી વરસની અવસ્થાએ એક છલાંગ મારીને રાઠોડ બેરીને માથે ગયો. ચીસ પાડી : “બરછી લાવો, મારી બરછી ! ”

માણસો બરછી લેવા દોડ્યા. પણ બરછી સજાવા ગયેલી. આમદ ગોરી કહે : “બાપુ, બરછી સજાવા –”

“અરે ! આથેય કેાઈ ની બરછી છે કે નહિ ? લાવો, લાવો, મારો કાળ આવી પૂગો.”

કોઈકની બૂઠી બરછી રાઠોડ ધાધલના હાથમાં આપી. બેરી ઊપડી. ચેારે આવ્યા. પણ ત્યાં તો ચોરા ઉપર જ ઘેઘૂર ઘટાવાળો ખોડિયારનો વડલો છે, તેની ડાળમાં આપાનું માથાબંધણું અટવાણું, વડલો જાણે કે પોતાના સાથીને આજે મરવા જવાની ના પાડી. પણ આપો ન રોકાણા. 'હે તોહેં ઘેાડા લઉ જાય !' કહી એક હાથમાં સરક, લગામ અને બરછી, ત્રણેને કોળી પકડી, બીજે હાથે ફેંટો ઝાલીને માથા ઉપર આંટો લેવા મંડ્યા. પવનમાં આખેા ફેંટો ફરફરે, હાથમાં બરછીનું ફેણું ઝગમગે, અને એ દેખીદેખીને બેરી ચમકે. આપો તો માથે આંટો લેતા આવે છે : “હે ઘોડી ! હે ઘોડી !” કહેતા આવે છે. ઝમ ! ઝમ ! ઝમ ! કરતી બેરી ઊડ્યે જાય છે : પાદરમાં માણસોની કતાર ઊભી છે. માણસેાને આપાએ પૂછ્યું :

“કીસે ગા' ચેાર ?"

“બાપુ, પીપળિયાના માર્ગે.” લોકોની ઠઠમાંથી અવાજ આવ્યો.

“અને આપડા અસવાર ?”

“એની વાંસે.”

“હું જાણતો સાં, ઈ ગોલાઓ ભેળાં નહિ કરે. ભણેં,