પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૭૬

જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચઢવા જવા બરોબર કહેવાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર છે.

ઉન્નડ ગઢડે અન્ન દીએ, જીવો હાડીકે જે,
જેરુ કોટ મછરાજરો, ત્રીજો ટોડો તે.

જેમ ગઢડામાં ઉન્નડ ખાચર ને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે.