પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

કાનિયો ઝાંપડો

કાઠિયાણીની કૂખ ઉજાળી ! જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું. વાહ રણના ખેલણહાર !”

છોહડાં રણભડાં કે' એમ સાદો,
લોહ ઝડાકા બેસલડાં,
ભડ ઊભે ઝાંપો ભેળાયે,
(તો) ભઠ છે જીવન એહ ભડાં.

શાદૂળ ખવડ કહે છે : “ હે બળવાન જોદ્ધાઓ, હે તલવારોના સાધેલા નરો, તમે હાજર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઈ જાય, તો એવા શુરવીરોનું જીવતર ધૂળ મળ્યું.”

એમ મરદ લુણાઓત આખે,
સણજો ગ૯લાં નરાં સરાં,
નર ઊભે ભેળાય નીગરું,
તો નાનત છે એહ નરાં.

લૂણા ખવડનો પુત્ર શાદૂળ કહે છે કે, “હે પુરુષો, સાંભળજો, કે જો મરદ ઊભો હોય છતાં ગામ લૂંટાય, તો તો એવા મરદને લાંછન હજો.”

વળગ્યા ગઢે માળિયાવાળા,
માટીપણારા ભરેલ મિંયા,
પાતે ચકચૂર થિયો ૫વાડે,
એમ કેક ભડ ચકચૂર કિયા,

માળિયાવાળા મિયાણા લૂંટારા, કે જે મરદાનગી ભરેલા હતા, તે સુદામડાના ગઢ ઉપર તૂટી પડ્યા. એ વખતે બહાદુર શાદુળ ખવડ મરણિયો બન્યો અને બીજા કંઈકને એણે શુરાતન ચઢાવ્યાં.