આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
પિંજરાનાં પંખી
- ભલો કામ સારો કીધો, જગજીવનને જીતી લીધો રે,
- કુળ ઉજાળ્યો ચારણે, ભલો કામ કીધો રે–
- પ્રભાતે ઊઠી પરિયાણ કીધું,
- મમતા મેલીને ચારણે, સારો મારગ લીધો રે૦
- જેઠો મોવડ કે' સતી જા૫ આપણે જપીએં,
- રુદામાં હરિના ગુણ આપણે ભજીએં.
- કમીબાઈ સતી કહે સ્વામી ગાયત્રી પૂજા કીજીએં,
- શ્રીકૃષ્ણ રામનું નામ મુખડેથી લીજીએં.
- ટચલી આંગળીયું વાઢી તિલક ધ્યાન કીધાં,
- શિર રે વધેરી ચારણે શંકરને દીધાં.
- એવા ઉછરંગે મનમાં જાણે માયરે આવ્યાં,
- પ્રથમ શીશ સતી કમીબાઈનાં વધાર્યાં.
- ખમા ખમા કહીને શંકરે ખેાળામાં લીધાં,
- પારવતીજી પૂછે, ચારણ, તમને કોણે મારગ ચીંધ્યા ?
- અમને અમારા ગુરુએ મારગડા બતાવ્યા,
- એ ગુરુના પ્રબોધ્યા અમે તમ પાસ આવ્યા.
- ગુરુને પ્રતાપે બારોટ દેવાણંદ બોલ્યા,
- એ બાવડી ઝાલીને પ્રભુએ ભવસાગર તાર્યા.
રાણેશ્વર જાયેં જાયેં, અંગડાં આનંદમાં રાખીને,
- કમળપૂજા લઈએં લઈએં રે
સરસ્વતી સમરું શારદા, ગણપતિ લાગું પાય,
એક સ્તુતિ મારી એટલી કે'જો, મારા બાંધવને કે'જો રામ રામ,
- રાણેશ્વર જાયેં જાયેં.