પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩

પિંજરાનાં પંખી


[ ૨ ]
ભલો કામ સારો કીધો, જગજીવનને જીતી લીધો રે,
કુળ ઉજાળ્યો ચારણે, ભલો કામ કીધો રે–
પ્રભાતે ઊઠી પરિયાણ કીધું,
મમતા મેલીને ચારણે, સારો મારગ લીધો રે૦
જેઠો મોવડ કે' સતી જા૫ આપણે જપીએં,
રુદામાં હરિના ગુણ આપણે ભજીએં.
કમીબાઈ સતી કહે સ્વામી ગાયત્રી પૂજા કીજીએં,
શ્રીકૃષ્ણ રામનું નામ મુખડેથી લીજીએં.
ટચલી આંગળીયું વાઢી તિલક ધ્યાન કીધાં,
શિર રે વધેરી ચારણે શંકરને દીધાં.
એવા ઉછરંગે મનમાં જાણે માયરે આવ્યાં,
પ્રથમ શીશ સતી કમીબાઈનાં વધાર્યાં.
ખમા ખમા કહીને શંકરે ખેાળામાં લીધાં,
પારવતીજી પૂછે, ચારણ, તમને કોણે મારગ ચીંધ્યા ?
અમને અમારા ગુરુએ મારગડા બતાવ્યા,
એ ગુરુના પ્રબોધ્યા અમે તમ પાસ આવ્યા.
ગુરુને પ્રતાપે બારોટ દેવાણંદ બોલ્યા,
એ બાવડી ઝાલીને પ્રભુએ ભવસાગર તાર્યા.
[ ૩ ]

રાણેશ્વર જાયેં જાયેં, અંગડાં આનંદમાં રાખીને,

કમળપૂજા લઈએં લઈએં રે
[ સાખી ]

સરસ્વતી સમરું શારદા, ગણપતિ લાગું પાય,
એક સ્તુતિ મારી એટલી કે'જો, મારા બાંધવને કે'જો રામ રામ,

રાણેશ્વર જાયેં જાયેં.