પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫

પિંજરાનાં પંખી


કમીબાઈ સતી કહે અમે શું માગીએ, આવો કળજુગ નો સે'વાય,
સદા તમારે શરણે રાખજો, રાખજો તમારી પાસ,

રાણેશ્વર જાયેં જાયેં.

તિથિ વદિ બારસ દિતવાર, મહિનો અષાઢ માસ,
સંવત ઓગણીસે સડસઠની સાલ, ચારણે સુધાર્યાં કાજ,

રાણેશ્વર જાયેં જાયેં.

ગાય શીખે ને સુણે સાંભળે, એનો વૈકુંઠમાં થાય વાસ,
ગુરુ પ્રતાપે દેવાણંદ બેાલ્યા, પડનાં પ્રાછત જાય,

રાણેશ્વર જાયેં જાયેં.
[૪]
જેઠા મોવડે આવું ધાર્યું, કમીબાઈએ સાથ સુધાર્યો,
એવાં સતી કમીબાઈને કહીએ, નિત ઊઠીને નામ લઈએ.
રામકથા હરિનામ લેતાં, શાસ્ત્રો વાંચીને સાર લેતાં,
એકાદશી વ્રત પણ રે'તાં, સેવા શંકરની કરતાં.
પરસોત્તમ માસ પૂરણ નાહ્યાં, અરપણ કીધાં શીશ સેવામાં,
અમર નથી રહેવાની કાયા, દુનિયાની ખોટી છે માયા.
આવી દેવળમાં દીવડા કીધા, તુલસીપાનથી પારણાં કીધાં,
રૂપા મોર મુખમાં લીધાં, ગોપીચંદનનાં તિલક કીધાં.
એવાં વિવેકી વિગતે કીધાં, પ્રેમના પ્યાલા પ્રીતે પીધા,
હરિરસ હામથી પીધા, કમલપૂજા જુગતીથી લીધા.
ગુરુ ગંગારામ વચને બારોટ દેવાણંદ એમ બોલ્યા,
જુગોજુગ અમર રહ્યાં, શંકરને શરણે થયાં.
[૫]
જેઠો મોવડ જગમાં સીધ્યો, કમીબાઈ કુળનો દીવો,
રાણાગામ ઋષિનો ટીંબો, તેમાં અચરજ શું કે'વો.
દીનાનાથે મોકલ્યા અમને, જાવ પરોળીઆ પૂછો એને,
આવો કામો કોણે કીધો, આવો કોઈને ન દીઠો.