પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાષ્ટ્રભાષા વિષે વિચાર

' રાષ્ટ્રભાષા વિષે વિચાર આવતા મા ભાષા-સાગરમાં સ્નાન કરવાને વાસ્તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિથી પુનિત મહાત્મા આવશે. એટલે સાગરનું મહત્ત્વ સ્નાન કરનારાઓને અનુરૂપ હોવું જોઈએ. આ કારણસર સાહિત્યની દૃષ્ટિથી પણુ હિન્દી ભાષાનું સ્થાન વિચારણીય છે. હિન્દી ભાષાની વ્યાખ્યાનો થાડાક ખ્યાલ કરવા આવશ્યક છે. હું ણીયે વાર તેની વ્યાખ્યા કરી ચૂકયો છું કે, હિન્દી ભાષા તે ભાષા છે કે જે ઉત્તરમાં હિન્દુ અને મુસલમાન ખેલે છે, અને જે નાગરી કે ફારસી લિપિમાં લખાય છે, આ હિન્દી સાવ સંસ્કૃતમય નથી, તેમ સાવ ફારસી શબ્દોથી ભરપૂર નથી. જે માય ગામડિયાની બોલીમાં મને દેખાય છે, તે લખનૌના મુસલમાન ભાઈની ખાલીમાં કે પ્રયાગજીના પડતાની મેલીમાં જણાતું નથી. એ જ ભાષા શ્રેષ્ઠ કહેવાય કે જે જનસમૂહ સહેલાઈથી સમજી શકે. ગામડિયાની ખેલી બધા સમજે છે. ભાષાનું મૂળ કરોડે મનુષ્યરૂપી હિમાલયમાંથી મળશે, અને તેમાં જ રહેશે. હિમાલયમાંથી નીકળતી ગંગા અનત કાળ સુધી ધા કરશે, તેમ ગામડિયાની હિન્દીનું ગૌરવ રહેશે; અને જેમ નાના પહાડામાંથી નીકળતાં ઝરણાં સુકાઈ જાય છે, તેમ જ સંસ્કૃતમય અને ફારસીમય હિન્દીની દશા થશે. હિન્દુ-મુસલમાન વચ્ચે જે ભેદ કરવામાં આવે છે તે કૃત્રિમ છે. તેવી જ કૃત્રિમતા હિન્દી અને ઉર્દૂ ભાષાના ભેદમાં રહેલી છે. હિન્દુઓની મેલીમાંથી ફારસી શબ્દોના સથા ત્યાગ કરવા, અથવા મુસલમાનોની ખેલીમાંથી સંસ્કૃત શબ્દોના સથા ત્યાગ કરવા આવશ્યક નથી, એને સ્વાભાવિક સગમ, ગોંગા- યમુનાના સંગમ જેવા શાભાયમાન અને અચળ રહેશે. ઉમેદ રાખું છું કે, આપણે હિન્દી-ઉર્દૂના ઝઘડામાં પડી આપણું ખળ ક્ષીણુ નહિ કરીએ. લિપિ બાબત કંઈક તક્લીફ જણાય છે. મુસલમાન ભાઈ એ આરખી લિપિમાં જ લખશે, અને હિન્દુ ધણુંખરું નાગરી લિપિમાં લખશે. રાષ્ટ્રમાં તેને સ્થાન મળવું જોઈએ. અમલદારેસને બંને લિપિનું જ્ઞાન અવશ્ય હોવું જોઈ એ. એમાં કંઈ કહેનતા નથી. છેવટે, જે લિપિમાં ઝાઝી સરળતા હશે તેને વિજય થશે. ભારતવર્ષમાં પરસ્પર વ્યવહાર ચલાવવા વાસ્તે એક ભાષા હોવી જોઈ એ, એ વિષે કઈ સદેહ નથી. જો આપણે હિન્દી-ઉર્દૂના ઝઘડા ભૂલી જઈએ, તે આપણે જાણીએ છીએ કે, મુસલમાન ભાઈ ની ઉર્દૂ જ રાષ્ટ્રીય ભાષા છે. આ વાત ઉપરથી આ સહેજ સિદ્ધ થાય છે કે, હિન્દી અથવા ઉ મેગલ લોકના વખતમાં રાષ્ટ્રીય ભાષા બની રહી હતી, આજે પણ હિન્દીની સ્પર્ધા કરી શકે