પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

________________

અજમાવી જુએ. રામાયા વિષે વિચાર હિંદુસ્તાનના ૨૦ કરોડ ઉપર બેઠક જે ભાષા સમજે છે તેને ન જાણુવા માટે, આળસ કે નામરજી વિના ખÛજું કાઈ બઢાનું નથી. ચ'. ૪, ૨૦૧૨૭ २ [છત્રપુર (જિલ્લા ગામ માં આપેલા ભાષણમાંથી ] આ ગામડામાં પણ મને અંગ્રેજીમાં ભાષણ આપવાની શિકાસ થઈ હતી; આ મને દેશની પુત્રી પ્રત્યે દ્રોહ, અને પરદેશી ભાષા પ્રત્યે ખોટી માહ બતાવે છે. અંગ્રેજી પ્રત્યે મને દ્વેષ નથી, પણુ હું હિંદીને એક્લીને રાષ્ટ્રભાષા તરીકે માનું છું, એટલે તેને માટે મને વધારે પ્રેમ છે. અને એ જ કારણે હું હિંદુસ્તાનના શિક્ષિત વર્ગોને હિંદી રાષ્ટ્રભાષા બનાવવાનો આગ્રહ કરી રહ્યો છું. હિંદીની મારતે જ આપણે ખીજા પ્રાંતાની ભાષાની સાથે સબંધમાં આવી શકીએ એમ છીએ, અને તેની પ્રતિ કરી શકીએ એમ છીએ. પરદેશી ભાષા દ્વારા શીખવાને લીધે આપણાં બુદ્ધિ અને હૃદયને વિકાસ બંધ ન થઈ ગયો હોત, તો આપણે દેશની પાંચ છ ભાષાઓ સહેજે શીખી શક્યા હોત. નં. ૭, ૧૮-૧૨-૨૦ 3 [કરાંચીનાં વેપાર-ઉદ્યોગનાં મંડળોના સધના વાર્ષિક સમાર’ભ (ઈ. સ. ૧૯૩૧ નિમિત્તે આપેલા પ્રાસ્તાવિક ભાષણમાંથી ] મારા અંગ્રેજ મિત્ર મને માફ કરશે કે, હું તમારી આગળ રાષ્ટ્રભાષામાં જ મારે જે કહેવાનું છે તે કહીશ. આ પ્રસંગે મને ૧૯૧૮માં યુદ્ધપરિષદ આ જ સ્થાને થયેલી તે યાદ આવે છે, જ્યારે યુદ્ધપરિષદમાં ભાગ લેવા વિષે અતિશય ચર્ચા કર્યાં પછી હું કબુલ થયો, ત્યારે મે તેમને વિનંતી કરેલી ", પરિષદમાં મને હિંદી અથવા હિંદુસ્તાનીમાં ખેલવાની છૂટ આપવામાં આવે. આ વિનંતી કરવાની કશી જરૂર નહોતી એ હું જાણું છું, છતાં વિનયની ખાતર એ આવશ્યક હતું, નહિ તે વાઇસરૉયને આધાત પહેોંચત. તરત જ તેમણે મારી વિનંતી સ્વીકારી અને ત્યારથી મને આ બાબતમાં વધારે હિંમત આવી, અને આજે એ જ સ્થાને હું એ જ પ્રથાનો અમલ કરવાનો છું. અને વ્યાપારીસધના સભ્યોને પણ હું નમ્રતાપૂર્વક સૂચવીશ કે, દેશીઓના આ સંધમાં જ્યારે દેશીઓની સાથે જ તમારે કામ લેવાનું છે અને આજકાલનું વાતાવરણ તમારી ઉપર અસર કરી રહ્યું છે ત્યારે, તમારે ધ` છે કે, તમે તમારું કામકાજ રાષ્ટ્રીય ભાષામાં