પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શષ્ટ્રભાષા વિષે વિચાર ભાષાઓમ’ જો રત્ન છિપે પડે હૈં, ઉનકા પ્રચાર ભારતવષ કે ફરાડે મનુષ્યમિ કરના ચાહતે હૈં, તો હમ હિંદુસ્તાનીકી મારફત હી કર સકતે હૈં. હું , ૧૭-૫-'૩૬ ૨ [ મદ્રાસ, ભારતીય સાહિત્ય પરિષદની બીજી બેઠકના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાંથી] આ પરિષદનું ધ્યેય સર્વ પ્રાંતિક સાહિત્યમાંથી રસ્તે વીણી ભેગાં કરીને હિંદી ભાષા મારફતે પ્રજાને પહોંચાડવાનું છે. એને સારુ હું તમને એક વિનતી કરવા ઇચ્છું છું. દરેક જણે પેાતાની જન્મભાષા તો સરસ રીતે જાણવી જ જોઈએ, અને હિંદી મારફતે ખીજી દેશી ભાષાના મહાન સાહિત્યનો પરિચય પણ કરવા જોઈએ. પણ આ પરિષદનું ધ્યેય આપણા લકામાં બીજા પ્રાંતાની ભાષા શીખવાની ઇચ્છા જાગ્રત કરવાનું છે. દાખલા તરીકે, ગુજરાતીઓએ તામિલ શીખવી જોઈએ, બંગાળીઓએ ગુજરાતી શીખવી જોઈએ, વગેરે. હું તમને અનુભવ પરથી કહું છું કે, બીજી દેશી ભાષા શીખવી એ જરાયે અધરું નથી; પણ એને માટે ખધી ભાષાઓ એક જ લિપિમાં લખાતી થાય એ હુ આવશ્યક છે, તામિલનાડમાં એ કામ અઘરું નથી, કેમ કે આ સાદી હકીકત જ જોઈએ, આપણી પ્રજાના તેવું ઉપરાંત ટકા નિરક્ષર છે. એમને આપણે નવેસર એકડા ચૂંટાવવાને છે. ત્યારે એમને આપણે એક જ લિપિ મારફતે અક્ષરજ્ઞાન આપીને આર્ભ કેમ ન કરીએ ? યુરોપના લેકાએ એક લિપિને પ્રયત્ન કરીને તેમાં પૂરી સફળતા મેળવી છે. કેટલાક લોક એટલે સુધી કહે છે કે, આપણે યુરોપ પાસેથી રામન લિપિ લઈને આપણે ત્યાં દાખલ કરવી જોઈએ. ઘણા વાવિવાદ પછી એવા એકમત દેખાય છે કે, રાષ્ટ્રલિપિ બીજી કાઈ નહિ પણ દેવનાગરી જ થઈ શકે. ઉર્દૂને એની હરીફ ગણવામાં આવે છે. પણ હું માનું છું કે, ઉર્દૂ કે રામન એકમાં દેવનાગરીના જેવી સંપૂર્ણતા અને ઉચ્ચારણુશક્તિ રહેલી નથી. તમારી પ્રાંતિક ભાષાઓની સામે હું કઈ નથી કહેતા, તામિલ, તેલગુ, મલયામ અને કા તો કાયમ રહેવી જ જોઈ એ અને રહેશે પણ ખરી. પણ આ પ્રદેશમાં નિરક્ષર માણુસાને આ ભાષાઓ દેવનાગરી લિપિ દ્વારા તમે કેમ ન શીખવા ? આપણે જે રાષ્ટ્રીય એકતા સાધવા માગીએ છીએ. તેને માટે દેવનાગરીના સ્વીકાર કરવા અતિ આવશ્યક છે. આમાં માત્ર આપણાં પ્રાંતિક અભિમાન અને સકુચિત વૃત્તિ એડવાના જ સવાલ રહેલા