પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭. રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની {ઍગલેારમાં હિંદી પદવીદાનસમારંભને પ્રસગે આપેલા પ્રવચનમાંથી આજે જેમને પદવી તે પ્રમાણપત્ર મળ્યાં એમને હું ધન્યવાદ આપું છું, ને આશા રાખું છું કે, તેઓ રાજ પોતાના અભ્યાસ ચાલુ રાખી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરતાં રહેશે. સામાન્ય શાળા કોલેજોમાં ભવા જનારા પોતાની કરિયર ’ માટે ત્યાં જાય છે, પરીક્ષાને માટે ભણે છે, અને પરીક્ષાના એરડા છેડયો કે તેની સાથે તેમની પડી તે માંહ્યલું ભણતર બધું ભૂલી આવે છે. ઘણા જ્ઞાન કરતાં પછી માટે વધારે પરવા કરનારા હોય છે, પરંતુ આજ જેમને અહીં પદવી મળી છે તેમણે પદવીને ખાતર તે લીધી નથી. તેનું સાદું કારણ એ છે કે, હિંદી પ્રચાર સભા નોકરી મેળવી આપવાના ઉદ્દેશવાળી સંસ્થા નથી. તમને મળેલી આ પદવી નમારા શિક્ષક તમને આપેલા જ્ઞાનના ચિહ્ન માત્ર તરીકે છે. અલબત્ત, એ તદ્દન શક્ય છે કે, તમારામાંથી થોડાક જણ આ હિંદી જ્ઞાનમાંથી કમાણી કરી શકા; પણ જરૂર અમારા એ ઉદ્દેશ નથી. આજનાં સફળ વિદ્યાથી માં મોટા ભાગની બહેના છે એ જોઈ મને આનંદ થાય છે. હિંદીપ્રચાર અને ભારતમાતાના ઉજ્જવળ ભવિષ્યની એ નિશાની છે, કેમ કે મારી દૃઢ માન્યતા છે કે, હિંદુસ્તાનની મુક્તિ તેની સ્ત્રીઓના ત્યાગ અને જ્ઞાન પર આધાર રાખે છે. સ્ત્રીઓની સભામાં હું હંમેશ એક વસ્તુ જોર દઈને કહેતા આવ્યો છું કે, જ્યારે આપણે આપણાં દેવદેવી કે પ્રાચીન વીર સ્ત્રીપુરુષો વિષે મેલીએ છીએ ત્યારે આપણે સ્ત્રીનું નામ પહેલું મૂકીએ છીએ. જેમ કે સીતારામ, રાધાકૃષ્ણ, નહિ કે રામસીતા કે કૃષ્ણધા. આ રિવાજ રહસ્યહીન નથી. આપણે ત્યાં સ્ત્રીનું સન્માન થતું અને એમનાં કાર્ય તથા લાયકાતની ખાસ કદર કરાતી. આ જાના રિવાજને આપણે અક્ષરશઃ અને અશઃ ચાલુ રાખવા જોઈએ, આ પ્રસંગે હું હિંદી-હિંદુસ્તાની જ રાષ્ટ્રભાષા શા માટે એનાં ચેડાંક સ્પષ્ટ કારણ જણાવીશ. જ્યાં સુધી તમે કર્ણાટકમાં રહે છે અને એની બહાર તમારી નજર નથી, ત્યાં સુધી કન્નડનું જ્ઞાન તમારે માટે ખસ છે. પણ તમારા એકાદ ગામડામાં જો તાય જણાશે કે, તમારી નજર અને દૃષ્ટિમર્યાદા વિસ્તર્યાં છે. તમે કર્ણાટકની નજરે નહિ પણ હિંદની નજરે વિચાર કરતાં થયાં છે. કર્ણાટક બહાર બનતા બનાવામાં તમને રસ પડે છે. પરંતુ આ રસ, જો