પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર જે ઉત્તરનાયબહુ થોડા જ લેાક સમજે. કૃત્રિમ જડખાડ ભાષાનું અને એમ, એમના એ પ્રયત્ન નિષ્ફળ જવા જ અકાયેલા છે. તે પછી પત્રલેખક મને પૂછે કે, હું “ હિંદી યા હિંદુસ્તાની ”ના આગ્રહ શા માટે રાખું ? માત્ર ‘હિંદુસ્તાની' જ શા માટે નથી કહેતા ? આનું એક સરળ કારણુ તે એ છે કે, મારા જેવા નવા માણસે ૨૫ વર્ષથી ચાલતી આવેલી સંસ્થાને, જ્યારે એનું નામ બદલવાની જરૂર સ્પષ્ટતઃ પુરવાર નથી થઈ ત્યારે તેને તેમ કરવા કહેવું, એ મારે માટે ઉમ્બંછળાપણું કહેવાય. નવી પરિષદ આ જૂની સંસ્થાનું ખાળક છે; એને ઇરાદો ઉત્તરના હિંદુ અને મુસલમાન ખેઉની સેવા કરવાનો છે; આ બેઉ કામ એક જ પોતાની સાધારણ માતૃભાષા લે છે: એનું નામ હિંદી કહેા કે હિંદુસ્તાની, એ મહત્ત્વની વાત નથી. મારે માટે એ બેઉ શબ્દો સમાન અર્થના જ છે, પરંતુ, હું જે ભાષા કહેવા માગું છું એને માટે જો કાઈ ‘હિંદી’ શબ્દ વાપરે, તે મારો એમની સામે વાંધો ન હોય. ' ‘ અખિલ ભારતીય ' શબ્દ સ્વીકાર્યો છે એની સામે પત્રલેખકના વાંધ હું નથી સમજો કે શા સારુ આખા હિંદુસ્તાનમાં બધા હિંદુ તે જરૂર એ શબ્દપ્રયોગ જાણે છે. અને હું હિંમતથી કહું છું કે, ઉત્તરના મોટા ભાગના મુસલમાનો પણુ એ સમજશે. આપણા જમાનાની હિંદી સંસ્કૃતિ આજે ઘડાઈ રહી છે. આજ એકમેક સાથે ઝધડતી લાગતી એવી બધી સંસ્કૃતિઓનું એક સુસમિશ્રણ નિપજાવવા માટે આપણામાંના ઘણા લેક મથી રહ્યા છે. જો કાઈ સંસ્કૃતિ એકાકી રહેવા મથે તો તે જીવત ન રહી શકે. શુદ્ધ આય સંસ્કૃતિ જેવી કેાઈ ચીજ આજ હિંદમાં યાત નથી. આ લકે અહીંના મૂળ વતની હતા કે આ દેશ પર ચડી આવી ઘૂસી જનારા હતા, એ પ્રશ્નમાં મને બહુ રસ નથી. મને મહત્ત્વ લાગે છે એ સત્ય હકીકતનું કે, મારા પુરાણપૂર્વજો પૂરી છૂટથી એકમેકમાં ભળ્યા અને આ જમાનાના આપણે બધા એ મિશ્રણનું ફળ છીએ. આપણે તે આપણી જન્મભૂમિનું અને આપણને વનાર આ નાનકડી ધરતીમાતાનું ભલું કરીએ છીએ, કે એને ભારરૂપ થઈએ છીએ, એ તા ભવિષ્ય જ બતાવવું રહ્યું. મારે માટે આટલી વાત સાક્ છે કે, નવી પરિષદ અને હિંદી સાહિત્ય સંમેલન બેઉના ઉદ્દેશ હિંદની બધી ભાષાના ઉત્તમાંશા એકઠા કરવા દ્વારા સૌનું સર્વસાધારણ ભલું કરવાનો છે. જો એમના એ ઇરાદે નથી તો તે નાશ પામશે. પરંતુ, એ પ્રકારના સુમિશ્રણના એ અર્થ ન