પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨. વધુ જાળાં જે માણુસ સત્યની શોધમાં છે તેને કાઈ ને રાજી કરવાને લખવું કે ખેલવું પાસાય નહિ. મારા માર્ગમાં આવી ચડેલી સર્વ વસ્તુઓમાં સત્ય શોધવાની મારી લાંખી સાધના દરમ્યાન, હું જાણું છું કે, તે તે વખતે પ્રસ્તુત એવા વિષયામાં મારું કહેવું સાયું હતું એમ સૌને ગળે ઉતારવામાં હું ભાગ્યે જ સફળ થયા છે. હિંદીપ્રચારની બાબતમાં મે કેટલાક મુસલમાન મિત્રાને નારાજ કર્યાં છે તો હિંદુ મિત્રાને ઓચ્છ નારાજ કર્યાં નથી, પણ મારા ટીકાકારો મારી ભૂલ વિષે મારી ખાતરી ન કરાવે ત્યાં લગી, કેવળ તેઓ ઇચ્છે છે. એટલા જ માટે હું મારા વિચારો બદલું એવી અપેક્ષા તેમણે ન રાખવી જોઈએ. એક પત્રલેખક તો કહે છે કે, મારું કહેવું તર્ક અને ઈતિહાસ બંનેની દૃષ્ટિએ સાચું છે છતાં મુસલમાન ટીકાકારાને અનુકૂળ થવાને સારુ જ મારે મારા વલણમાં ફેરફાર કરવા જોઈએ. એ મુસલમાન ટીકાકારા ઇચ્છે છે કે હું એક જ સર્વસામાન્ય ભાષા સૂચવવાને સારુ ‘હિંદી-ઉર્દૂ અથવા તે એકલા

</ ‘ ઉ’ શબ્દ પ્રચલિત કરાવું. એમના વાંધા એ ભાષા સામે નથી, પણ એ ભાષા અત્યાર સુધી જે નામે ચાલી છે તે નામ સામે છે, હવે મારી પાસે એક કાગળ આવ્યા છે તેમાં થાડા મહિના પર ખેંગલોરમાં થયેલા હિંદીપ્રચાર પદવીદાન સમારંભમાં મેં આપેલા ભાષણ સામે જુદા દષ્ટિબિંદુથી ફરિયાદ કરેલી છે. એ કાગળ લાંખે છે. તેમાંથી હું નીચેના બહુ પ્રસ્તુત એવા ઉતારા આપું છું : બેઇંગલેારના પદવીદાન સમારભ વખતના આપના ભાષણમાં આપે ૧ કર ૧૦ લાખ કર્ણાટકી સ્ત્રીપુરુષાન, ઉત્તર ભારત સાથે સબંધ બાંધવાને સારુ, હિંદી શીખવાનું કહ્યું છે. જે માણસ માતૃભાષાની કેળવણી પામી ચૂકયાં છે. એટલાને જ આપે એ વિનંતી કરી નથી. બધાં જ માણસો માતૃભાષા સારી પેઠે જાણે છે એમ માની લઈ એ તાપણ જનસમૂહ માતૃભાષા સિવાયની બીજી ભાષા શીખે એ શકય તેમ જ ઈષ્ટ નથી; શકય હોય તૈયે સ્વાભાવિક નથી. આખા હિંદુસ્તાનમાં કામ કરનારા રાષ્ટ્રસેવા, વેપારીઓ અને ખીન્ન આ ઉત્તર ભારતના લાકા જો રાજ સખધમાં આવતા હાય તે જ હિંદી શીખી શકે, તેમણે જ શીખવી તેઈએ. કઈ પ્રચાર નહિ થાય તાયે ગરજના માર્યાં તેમને એ ભાષા શીખવી પડરો. આપ કહે છે કે, હિંદી પ્રાંતિક ભાષાઓને હઠાવી તેનું સ્થાન લતી નથી પણ તેમાં પૂર્તિ કરે છે; પણ વ્યવહારમાં એમ બનતું નથી. તામિલનાડના શિક્ષિત વર્ગોના મોટા ભાગ આજે તામિલમાં નહિં પણ અંગ્રેજીમાં વિચાર કરે છે ને લાગણીએ