પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૧. રોમન લિપિ વિ. દેવનાગરી મારા જાણવામાં આવ્યું છે કે, આસામમાં કેટલીક જાતિને દેવનાગરીને બદલે રામન લિપિમાં વાંચતાં લખતાં શીખવવાની શરૂઆત થઈ છે. મેં મારી અભિપ્રાય દર્શાવ્યા જ છે કે, હિંદુસ્તાનમાં સમાન્ય થઈ શકે એવી કાઈ એક લિપિ હોય તો તે ચાલુ દેવનાગરી જ છે. પછી ભલે તેમાં સુધારા કરવામાં આવે. શુદ્ધ શાય કે રાષ્ટ્રીય મુદ્દા પર દેવનાગરીની શ્રેષ્ઠતા મુસલમાન ભાઈ એ સ્વેચ્છાએ ન સ્વીકારે ત્યાં સુધી ઉ અથવા ફારસી લિપિ પણ ચાલુ જ રહેશે. ઉપલી ચર્ચા માટે એ વાત અપ્રસ્તુત છે. આ લિપિઓની જોડે રામન લિપિના મેળ ખાય એમ નથી. રામન લિપિના હિમાયતી તો ઉપલી બંને લિપિ રદ કરવાના મત આપરો, પશુ વિજ્ઞાન તેમ જ ભાવના એણે દૃષ્ટિએ રામન લિપિ નહિ ચાલી શકે. રામન લિપિના મુખ્ય લાભ એટલે જ છે કે, છાપવામાં તથા ટાઈપ કરવામાં એ લિપિ સગવડવાળી છે. પણ કરાડા માણસને એ શીખતાં જે મહેનત પડે એ જોતાં એ લાભની આપણને કશી કિંમત નથી. કરીડાને તો દેવનાગરીમાં કે પોતપોતાના પ્રાંતની લિપિમાં લખેલું પોતાને ત્યાંનું સાહિત્ય વાંચવાનું હોય, એટલે તેમને શમન લિપિ જરાયે મદદરૂપ ન થાય. કરોડે હિંદુ અને મુસલમાનો માટે પણ દેવનાગરી શીખવી સહેલી છે, કેમ ક ઘણીખરી પ્રાંતિક લિપિ દેવનાગરીમાંથી જ ઊતરી આવી છે. મે' આમાં મુસલમાનોને સમાવેશ જાણી જોઈને કર્યો છે. દાખલા તરીકે, ખંગાળના મુસલમાનાની માતૃભાષા બંગાળી છે. જેમ તામિલનાડના મુસલમાનની તામિલ છે. ઉર્દૂના પ્રચારની હાલની હિલચાલનું સ્વાભાવિક પરિણામ એ આવશે કે, હિંદભરના મુસલમાન પોતપોતાની પ્રાંતિક માતૃભાષા ઉપરાંત પણ શીખશે. કાઈ પણ સોગામાં કુરાનેશરીફ્ પઢવા તેમને અરબી ! શીખવી જ રહી. પણ કરીડે હિં'દુ મુસલમાનને રામન લિપિનું પ્રયાજન તો અંગ્રેજી શીખવા સિવાય બીજે ક્યાંયે નથી. એ જ પ્રમાણે હિંદુઓને તેમના વથા મૂળ ભાષામાં વાંચવા દેવનાગરી શીખવાની જરૂર પડવાની, અને તેઓ એ શીખે જ છે. આમ દેવનાગરી લિપિને સમાન્ય બનાવવાની પાછળ મજબૂત કારણ છે, શમન લિપિ દાખલ કરીએ તો એ નરી મેળરૂપ જ થાય, અને એ કદી લોકપ્રિય ન બતે. વળી આવાં બહારનાં દબાણો સાચી લાગૃતિ થશે ત્યારે