પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
રાષ્ટ્રિકા
 


કવિ નર્મદનું મંદિર


ધ્વનિત*[૧]

વીર નર્મદ ! તું જંગમાં લડી જંગ ગયો;
તુજ વીરછબી નિરખી ચખ અશ્રુ ભરે !
કંઇ પુષ્પ નવાં ખીલતાં તુજ પ્રેમ-કરે
સ્થળ સર્વ વિખેરી દઈ કૃતકૃત્ય થયો;

તુજ પ્રેમઝરો નિશદિન અખંડ વહ્યો,
ભરી બંધુઉરે ભૂમિ કારણ દાઝ ખરે,
જહીં તેહ અમાસ પછી જ્યમ આભઉરે
ચઢતો અમીચંદ્ર દીપે ત્યમ દીપી રહ્યો !


  1. *મૂળ ઇટાલિયન કાવ્યસાહિત્યમાં ઉદ્‍ભવેલા "સોનેટ"ના પ્રકારને અંગ્રેજી સાહિત્ય મારફતે ગુજરાતી કાવ્યસાહિત્યમાં લાવવાનો દાવો રા. બ.ક. ઠાકોર કરે છે, પણ તે માત્ર ચૌદ લીટી પૂરતો અને વિચારના એક જ બિંદુ પર થતા કાવ્યના ઉઠાવના સંબંધમાં છે. બાકી એમણે લખેલાં કહેવાતાં સોનેટોમાંનું એક પણ સોનેટ યુરોપીય સાહિત્યમાં એની સિદ્ધ થયેલી વ્યાખ્યા પ્રમાણે લખાયેલું નથી જ. સોનેટની દેહરચના માટે આવૃત સંધિવાળા પ્રવાહી છંદની તેમજ પ્રાસાનુપ્રાસની જે ખાસ વિધિ યુરોપમાં સિદ્ધ થયેલી છે, તે એ સોનેટોમાં જળવાયેલી નથી જ. એ મૂળ વિધિ પ્રમાણે ખરેખરું સોનેટ ઇ.સ. ૧૯૦૩માં આ "કવિ નર્મદનું મંદિર" પ્રથમ જ લખાયેલું છે. એ ઐતિહાસિક સત્ય નોંધવું અહીં ઇષ્ટ ધાર્યું છે.